Railways Confirm Tickets New System Trial: ટ્રેન ટિકિટ કન્ફર્મેશન હવે 24 કલાક પહેલાં, રેલવેએ શરુ કરી નવી સિસ્ટમ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Railways Confirm Tickets New System Trial: ભારતીય રેલવે(Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટ સાથેનો ચાર્ટ 24 કલાક પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે.

નવી સિસ્ટમ માટે ટ્રાયલ શરુ

- Advertisement -

અહેવાલો અનુસાર, રેલવે વિભાગે મુસાફરોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે. રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે, ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેઇટિંગ લિસ્ટ દેખાડે છે. આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી રહે છે. વળી, લાંબા અંતરની મુસાફરીમાં તો મુસાફરોને ઘણી ચિંતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ એક સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેના દ્વારા હવે તમને 24 કલાકની અંદર તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે.

રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરુ કર્યો છે. છઠ્ઠી જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે, આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે. એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી, એટલે કે, આ પ્રયોગ સકારાત્મક પરિણામો આપી રહ્યો છે અને મુસાફરોને રાહત મળી છે.

Share This Article