Raja Raghuvanshi murder case: રાજા રઘુવંશી મર્ડર કેસમાં તાજા ખુલાસા, રાજ કુશવાહાને સોનમે મહોરો બનાવ્યો, – હવે કોણ છે માસ્ટર માઈન્ડ?”

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Raja Raghuvanshi murder case: રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સોનમ રઘુવંશીને લઈને એક નવો ખુલાસો થયો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સોનમે રાજ કુશવાહાને રાજાને મારવા માટે મહોરો બનાવ્યો હતો પરંતુ આ સમગ્ર કાંડનો અસલી માસ્ટરમાઈન્ડ કોઈ બીજુ જ છે.

રાજ સોનમને દીદી કહીને સંબોધતો હતો

- Advertisement -

રાજના ફોનમાં સોનમનો મોબાઇલ નંબર સોનમ દીદીના નામથી સેવ હતો. ઘરે પણ જ્યારે રાજનો ફોન આવતો ત્યારે પણ તે તેને દીદી કહીને જ સંબોધતો હતો. તે સોનમ સાથે માત્ર કામના સંદર્ભમાં જ વાત કરતો હતો. સોનમના ભાઈ ગોવિંદે પણ પોતાના નિવેદનમાં આ વાત કહી છે. સંબંધીઓએ પણ કહ્યું કે, તે તેને સોનમ દીદી કહીને બોલાવતો હતો.

અસલી માસ્ટર માઈન્ડ કોણ?

- Advertisement -

આવી સ્થિતિમાં કોઈને પણ એ વાત પર વિશ્વાસ નથી રહ્યો કે, આ બંને પ્રેમી છે. આ તમામ બાબતો શંકા પેદા કરે છે કે આ કેસમાં માસ્ટરમાઈન્ડ કોઈ બીજું હોઈ શકે છે અને સોનમે રાજનો ઉપયોગ માત્ર મહોરા તરીકે કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ બેંક ખાતા પણ મળી આવ્યા છે. જેમાં લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે.

સોનમ રાજ પર બિઝનેસ સબંધિત કામ કરાવતી હતી

- Advertisement -

તેમાં એક કરંટ એકાઉન્ટ પણ છે. ચારેય એકાઉન્ટ દેવાસના જીતેન્દ્ર રઘુવંશીના નામે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોનમ રાજ પર બિઝનેસ સંબંધિત તમામ કામ કરાવતી હતી. હવાલાનું આખું કામ પણ રાજ જ જોતો હતો. બંને આ બાબતે વાત કરતા હતા. એ વાતનો ઈનકાર ન કરી શકાય કે રાજને બદલે કોઈ ત્રીજો વ્યક્તિ સોનમના સંપર્કમાં છે.

Share This Article