આગામી મહિલા T20 વર્લ્ડ કપ ટીમની સભ્યને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે
ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરા શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી જતાં શહેરના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવ પણ આ દુર્ઘટનામાં ફસાઈ ગઈ હતી.

NDRFની ટીમે એક જટિલ બચાવ કામગીરી હાથ ધરીને રાધા યાદવને સુરક્ષિત રીતે બચાવી લીધા. રાધાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ જાહેર કરીને NDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. “અમે ખરાબ રીતે ફસાયેલા હતા. અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર,” તેમણે કહ્યું.
24 વર્ષીય રાધા યાદવ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની લીડ સ્પિનર છે અને આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે. રાધાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 4 ODI અને 80 T20 મેચ રમી છે. જેમાં તેણે કુલ 91 વિકેટ લીધી છે. તેના સુરક્ષિત વાપસીથી ક્રિકેટ જગતે રાહતનો શ્વાસ લીધો છે. મહિલા T20 વર્લ્ડ કપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં રમાશે.

