Who Are Dravids: તમિલનાડુનો ઉલ્લેખ હોય અને દ્રવિડ આંદોલનનો ઉલ્લેખ ના આવે, એવું શક્ય નથી. હવે જો અહીં દ્રવિડ શબ્દ લખવામાં આવે તો એવું શક્ય છે કે તમારી સામે ભારતીય ક્રિકેટ ટીમની દીવાલ કહેવાતા બેટ્સમેન રાહુલ દ્રવિડ યાદ આવી જાય. જોકે સચ્ચાઈ એ છે કે દ્રવિડ માત્ર એક શબ્દ નથી, પરંતુ પોતાનામાં એક પૂરી સંસ્કૃતિ છે. આ સદીઓ જૂની સભ્યતા છે. આને ભારતની સૌથી જૂની સભ્યતા તરીકે માનવામાં આવે છે. દ્રવિડોને ભારતના મૂળનિવાસી પણ બતાવવામાં આવે છે, જે અહીં આર્યોના આવ્યા બાદ સિમિત થઈને દક્ષિણ રાજ્યોમાં ચાલ્યા ગયા. જોકે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આને લઈને ઇતિહાસકારોનો મત અલગ-અલગ છે. આ થીયરી પર પણ વિવાદની જ સ્થિતિ છે.
આજે પણ દક્ષિણ ભારતમાં તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ ભાષા-સંસ્કૃતિવાળા લોકોને દ્રવિડ અને તેમની ભાષાઓને દ્રવિડિયન ભાષા કહેવામાં આવે છે. ઘણા વિદ્વાનોએ આને સંસ્કૃતથી પણ જૂની ભાષા માની છે. આ આંદોલને જ અલગ રાજ્યનો પાયો તૈયાર કર્યો. તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં આંદોલનથી પોલિટિક્સ સુધીનો આધાર આ દ્રવિડ મુદ્દો જ છે. આણે જ તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે જેવા પ્રાદેશિક પક્ષોને પાયો પૂરો પાડ્યો, જેમાં હવે જઈને ફિલ્મ સ્ટાર વિજય થલાપતિની TVK એ ગાબડું પાડ્યું છે.
ભારતનો ઇતિહાસ અને દ્રવિડ કલ્ચર
ઘણા ઇતિહાસકારો એવું માને છે કે સિંધુ ખીણની સભ્યતામાં રહેલા લોકોનો સંબંધ પણ દ્રવિડ સંસ્કૃતિ સાથે હોઈ શકે છે. જોકે આના પર પૂરી રીતે સહમતી નથી. કેટલાક વિદ્વાનો એવું માને છે કે આર્યોના આગમન પહેલા ભારતીય ઉપખંડના મોટા ભાગમાં દ્રવિડ ભાષાઓ બોલવામાં આવતી હતી. બાદમાં ઉત્તર ભારતમાં ઇન્ડો-આર્ય ભાષાઓના પ્રસાર સાથે દ્રવિડ ભાષાઓ મુખ્ય રૂપે દક્ષિણ ભારત સુધી સીમિત થઈ ગઈ. આમાં તમિલ ભાષાને અત્યંત પ્રાચીન માનવામાં આવે છે. તમિલ સાહિત્યનો ઇતિહાસ બે હજાર વર્ષોથી પણ વધુ જૂનો માનવામાં આવે છે.
રિસર્ચર્સનું એવું માનવું છે કે દ્રવિડોની વસ્તી પહેલા ઉત્તર અને દક્ષિણ ભારત બંને ભાગોમાં ફેલાયેલી હતી. બાદમાં ઉત્તરી ક્ષેત્રના દ્રવિડોનો એક તબક્કો મેસોપોટેમિયા તરફ ચાલ્યો ગયો, જે હવે ઈરાન અને આસપાસનો વિસ્તાર છે. ઘણા લોકો મધ્યમાં બલૂચિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાં વસી ગયા. અહીં પ્રચલિત બ્રાહુઈ સમુદાયનો જન્મ દ્રવિડ સભ્યતાથી જ માનવામાં આવે છે.
દક્ષિણ ભારતનો દ્રવિડ પરિવાર
અત્યાર સુધી તો વાત તેમની થઈ ગઈ, જે દ્રવિડ ઉત્તરથી હટીને દુનિયાના બીજા ભાગો સુધી ચાલ્યા ગયા પરંતુ દક્ષિણ ભારતમાં આ સભ્યતા ત્યાં જ જામી રહી. આજે દ્રવિડિયન ભાષા પરિવારમાં તમિલથી લઈને મલયાલમ, કન્નડ, તેલુગુ સુધીનો વિસ્તાર આવે છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટકના રહેવાસીઓને દ્રવિડ કહેવામાં આવે છે.
આર્ય ઇન્વેઝન થીયરી અને દ્રવિડ
ભારતના પ્રાચીન નિવાસીઓને લઈને ચાલી રહેલી અવધારણામાં આર્ય અને દ્રવિડોનો ઉલ્લેખ આવે છે. એક સિદ્ધાંત કહે છે કે ભારતવર્ષના ઉત્તરી વિસ્તારોમાંથી દ્રવિડ પોતાની મેળે જ નથી હટી ગયા, પરંતુ આર્યોના હુમલાના કારણે તેમને ભાગવા માટે મજબૂર થવું પડ્યું. આ આર્ય ઇન્વેઝન થીયરી કહેવાય છે. જોકે પછીના સમયમાં એવા ઘણા પુરાવા પણ મળ્યા જે બતાવવા લાગ્યા કે આર્ય કોઈ એક સભ્યતા નહીં, પરંતુ વિચારધારાથી પ્રેરિત સમુદાય હતો, જે ખરેખર પ્રાચીન ભારત સાથે સંબંધ રાખતો હતો.
આ વાતને સમજવા માટે ફિનલેન્ડ અને યુરોપ સહિત ઘણા દેશોમાં ભારતીયોના ડીએનએ (DNA) પર રિસર્ચ પણ થયું. ભારતના રાજ્યોમાં પણ અલગ-અલગ જાતિ-સમૂહોના ડીએનએનું મિલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવું જાણવા મળ્યું કે તમામ ભારતીયોના ગુણસૂત્ર લગભગ સમાન છે, જેનો અર્થ થયો કે તમામ લોકો એક જ પૂર્વજોના સંતાન છે. ત્યાં સુધી કે આર્ય અને દ્રવિડ વચ્ચેનો કોઈ પણ તફાવત ગુણસૂત્રોના આધારે મળતો નથી.
ઉત્તર અને દક્ષિણમાં તફાવત શું
આર્ય અને દ્રવિડોને લઈને ચાલતી ચર્ચામાં ધાર્મિક સ્થળોથી લઈને ખાન-પાનની સંસ્કૃતિનો તફાવત પણ સામેલ છે. દક્ષિણ ભારતના મંદિરો પર ધ્યાન આપીએ તો અહીંની વાસ્તુકલા ઉત્તરી વિસ્તારોથી એકદમ અલગ છે. આને દ્રવિડ સ્થાપત્ય શૈલી કહેવામાં આવે છે. આ શૈલીમાં મંદિરનો આધાર ભાગ ચોરસ હોય છે તથા ગર્ભગૃહની ઉપરનો શિખર ભાગ પિરામિડ જેવો દેખાય છે. પ્રાંગણનો મુખ્ય પ્રવેશદ્વાર ગોપુરમ કહેવાય છે. મંદિરના પ્રાંગણમાં વિશાળ દીપ સ્તંભ દેખાય છે. દક્ષિણ ભારતના વિશાળ મંદિરો જેવા કે મદુરાઈ, તંજાવુર અને હમ્પીના મંદિરો દ્રવિડ સ્થાપત્ય શૈલીના પ્રમુખ ઉદાહરણો માનવામાં આવે છે.
ખાનપાન અને ભાષાનો તફાવત
ભાષાથી લઈને ખાનપાનમાં પણ આ જ તફાવત નજર આવે છે. દક્ષિણના ખોરાકને દ્રવિડિયન ભોજન પણ કહેવામાં આવે છે. આમાં કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકનું ભોજન દેખાય છે. અહીં માત્ર રસોઈ બનાવવાની રીત અને સામગ્રીમાં જ તફાવત નથી, પરંતુ જમવાની રીતો પણ અલગ છે. એવી જ રીતે દ્રવિડ પરિવારની ભાષા પણ ઉત્તરથી અલગ છે. આમાં મુખ્યત્વે તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ આવે છે. આ ઉપરાંત ઘણી ઉપભાષાઓ પણ છે, જેવી કે તુલુ, ગોંડી, કુડુખ. મોટાભાગના દક્ષિણ ભારતીયો આ જ ભાષાઓ બોલે છે.
દ્રવિડ સંસ્કૃતિની વિશેષતાઓ:-
પ્રાચીન મંદિર સ્થાપત્ય
શાસ્ત્રીય સંગીત અને નૃત્ય
તમિલ સંગમ સાહિત્ય
કૃષિ આધારિત સમાજ
સ્થાનિક દેવી-દેવતાઓની પૂજા પરંપરા
દ્રવિડ આંદોલનની સિયાસત
દક્ષિણ ભારતની રાજનીતિમાં દ્રવિડ વિચારધારા કંઈક એવી રીતે પાંગરી કે આને બ્રાહ્મણવાદી વિચાર સામે આંદોલનનું રૂપ આપી દેવામાં આવ્યું. એવું માનવામાં આવવા લાગ્યું કે આર્ય એટલે હિંદુ છે, દ્રવિડોને બિન-બ્રાહ્મણ સંસ્કૃતિના પક્ષમાં માનવામાં આવ્યા. પરિણામે એક અલગ આંદોલન જ ચાલી નીકળ્યું.
1916માં ટી.એમ. નાયર અને પી. ત્યાગરાજ ચેટ્ટીએ જસ્ટિસ પાર્ટી બનાવીને દ્રવિડો માટે હિસ્સેદારીની માંગ કરી. આ આંદોલન સાથે જોડાયેલા ઈ.વી. રામાસ્વામી ‘પેરિયાર’ એ વિરોધની ધરીને તેજ કરી અને દ્રવિડ કઝગમ બનાવીને અલગ દેશની માંગ કરી નાખી. આમાં સામાજિક ન્યાય, હિન્દી ભાષા વિરોધનું મિશ્રણ પણ થઈ ગયું.
આ પછી વિચારને DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) એ અપનાવી લીધો અને દ્રવિડ આંદોલન દ્વારા જ રાજનીતિમાં પગ જમાવ્યા. આનો વારસો અન્નાદુરાઈથી લઈને કરુણાનિધિ અને હવે સ્ટાલિન સુધી આવ્યો. બીજી તરફ એક્ટર એમ.જી. રામચંદ્રનની આગેવાનીમાં બાદમાં આમાંથી જ એક અલગ જૂથે AIADMK ની રચના કરી. જયલલિતાએ આ વારસાને સંભાળ્યો. આ રીતે તમિલ સિયાસતમાં દ્રવિડ શબ્દનું પોતાનું મહત્વ છે.
આ પણ વાંચો: What Is Floor Test: ફ્લોર ટેસ્ટ શું હોય છે, થલાપતિ વિજય બહુમતી સાબિત નહીં કરી શકે તો શું થશે? – Newz Cafe

