Bangladesh Hindu : ભારતમાં આજેપણ તેવી જમાતો સક્રીય છે કે, જેઓ અજમલ કસાબની ફાંસી માટે પણ માનવાધિકારની દુહાઈઓ આપતા હતા.સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરુની પણ આ જમાત ફેવર કરતી હતી.પરંતુ આ લોકો જ્યાં સાચે જ માનવ અધિકારોનું હનન થાય છે ત્યાં ચૂપ હોય છે. હાલમાં જ 2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન અને ત્યારપછીની હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચના અહેવાલમાં ગંભીર ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની વિગતો આપવામાં આવી છે.અને આ અહેવાલ ડરામણા છે.શું અહીંના હિન્દુઓનું લોહી લોહી નથી ? અને ત્રાસવાદીઓ કે આંતકવાદીઓના ગુના માત્ર તે માણસ હોય છે એટલે માનવતાની દુહાઈ આપી માફ કરવાના ?
વેલ, હાલના અહેવાલો અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ 12-13 ટકા બાળકો સહિત મોટાભાગના દેખાવકારોને ઠાર માર્યા હતા. શેખ હસીનાની અવામી લીગ સરકારે બળવાના શરૂઆતના દિવસોમાં માત્ર 150 મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ન્યાયહીન હત્યાઓ, મનસ્વી ધરપકડો અને અટકાયતની સંખ્યા સેંકડોમાં છે, જે શેખ હસીનાની સરકાર અને સુરક્ષા અધિકારીઓની જાણકારી સાથે કરવામાં આવી હતી.
લઘુમતીઓ સામે હિંસા અને જુલમ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે પણ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટમાં હિંદુઓ, અહમદિયા મુસ્લિમો અને આદિવાસીઓ પર હુમલાની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચટગાંવ હિલ ટ્રેક્ટ્સમાં અવામી લીગના નેતાઓ, લઘુમતીઓ અને આદિવાસીઓ વિરુદ્ધ હિંસાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જાતિય હિંસા અને પોલીસની નિર્દયતા
રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે મહિલાઓને વિરોધ કરતા રોકવા માટે શારીરિક હુમલા અને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી હતી. આ હુમલાઓમાં પોલીસની સંડોવણી બહાર આવી છે. યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે વિરોધને દબાવવા માટે રાજકીય નેતૃત્વ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા ઇરાદાપૂર્વક બહારની ન્યાયિક હત્યાઓ અને ત્રાસ આપવામાં આવ્યો હતો.
શેખ હસીના અને યુનુસ સરકાર વિરુદ્ધ રિપોર્ટ
યુએનના અહેવાલે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને પણ ભીંસમાં મુકી છે. યુનુસ સરકાર દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓને ઓછી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રિપોર્ટમાં સત્ય સામે આવ્યું છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે અબુ સઈદ (એક વિદ્યાર્થી નેતા અને બળવાનો શહીદ)ની હત્યા જાણી જોઈને કરવામાં આવી હતી

