Tulsi Vivah 2025: તુલસી વિવાહ 2025: 2 નવેમ્બરે ઉજવાશે તુલસી વિવાહ, જાણો પૂજા વિધિ અને શુભ ઉપાય

Arati Parmar
4 Min Read

Tulsi Vivah 2025: હિન્દુ ધર્મમાં તુલસી વિવાહની પરંપરા અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ કારતક મહિનાના શુક્લ પક્ષની બારસની તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ (ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ) સાથે થાય છે. આ તહેવાર દેવઊઠી એકાદશી પછીના દિવસે ઉજવવામાં આવે છે. તેને દેવુઊઠી બારસ પણ કહેવામાં આવે છે.

એ પછી વૃંદાનો તુલસી તરીકે પુનર્જન્મ થયો

- Advertisement -

પૌરાણિક કથા પ્રમાણે વૃંદા નામની એક પવિત્ર દેવી હતી, જે અસુરરાજ જલંધરની પત્ની હતી. વિષ્ણુએ ધર્મનું રક્ષણ કરવા માટે જલંધરનો વધ કર્યો હતો, જેના કારણે વૃંદાએ તેને શાલિગ્રામ પથ્થર તરીકે પૂજવાનો શ્રાપ આપ્યો હતો. એ પછી વૃંદાનો તુલસી તરીકે પુનર્જન્મ થયો. તેની ભક્તિ દ્વારા તેમણે ભગવાન વિષ્ણુને તેના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. ત્યારથી તુલસી અને શાલિગ્રામ વિવાહ દર વર્ષે દેવુઊઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે

આ દિવસે લોકો પોતાના આંગણામાં મંડપ બાંધે છે. તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. તેને ચૂંદડી, બિંદી, હાર અને બંગડી પહેરાવીને શણગારવામાં આવે છે. ભગવાન શાલિગ્રામને વર તરીકે શણગારવામાં આવે છે. વિવાહ સંસ્કારના મંત્રો સાથે વિધિ પૂર્ણ કરવામાં આવે છે, ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તુલસી વિવાહના દિવસે લેવામાં આવતા સરળ ઉપાયો લગ્ન સંબંધિત તમામ અવરોધોને દૂર કરે છે અને મનોઇચ્છિત લગ્નના યોગ બને છે.

હળદરથી કરો આ પવિત્ર ઉપાય 

જે લોકોના લગ્નમાં મુશ્કેલીઓ અથવા વિલંબનો સામનો કરી રહ્યા છે તેઓએ તુલસી વિવાહના દિવસે સવારે સ્નાન કરતાં પહેલા તેમના સ્નાનના પાણીમાં એક ચપટી હળદર ઉમેરવી જોઈએ. તેનાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે અને ગુરુ ગ્રહને મજબૂત કરે છે. સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો અને તુલસી માતા અને ભગવાન શાલિગ્રામની વિધિવત પૂજા કરો. પૂજા દરમિયાન તુલસી અને શાલિગ્રામને હળદરની પેસ્ટ અથવા દૂધ હળદર સાથે મિશ્રિત કરીને અર્પણ કરો. આ કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત બનાવે છે. ગુરુના પ્રભાવથી વિવાહ સંબધિત યોગ પ્રબળ બને છે.

તુલસી અને શાલીગ્રામનો પવિત્ર મિલન

તુલસી વિવાહનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના વિવાહ સંસ્કાર છે. પૂજા પછી તુલસીના છોડ અને ભગવાન શાલિગ્રામને એક લાલ રંગના પવિત્ર દોરા(નાડાછડી)થી બાંધો. આ એક દૈવી મિલન અને શુભ વૈવાહિક બંધનનું પ્રતીક છે. મિલન પછી ગરીબ વ્યક્તિ, બ્રાહ્મણ અથવા છોકરીને કપડાં, ફળ, મીઠાઈ અથવા પૈસાનું દાન અવશ્ય કરો. આ દાન અત્યંત શુભ માનવામાં આવે છે, અને પિતૃઓના આશીર્વાદ મેળવે છે.

ઘીનો દીવો પ્રગટાવીને મંત્રનો જાપ કરો

તુલસી વિવાહના દિવસે સાંજે તુલસી માતાના છોડ નીચે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે તમારી ઇચ્છા વ્યક્ત કરો. ત્યારબાદ, તુલસી ચાલીસાનો પાઠ કરો અને દેવીના વૈદિક મંત્ર, ‘ઓમ સૃષ્ટિકર્તા મમ વિવાહ કુરુ કુરુ સ્વાહા,’ 11 અથવા 108 વખત જાપ કરો. આમ કરવાથી તુલસી માતા ઝડપથી પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય આવે છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, તેમના જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

Share This Article