PM Surya Ghar Yojana Subsidy: વીજળીના વધતા બિલથી પરેશાન લોકો હવે પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવી રહ્યા છે. ધીરે ધીરે આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. લોકો ઈચ્છે છે કે દિવસનો તડકો સીધો ઘરની વીજળીમાં ફેરવાય અને માસિક ખર્ચ ઓછો થાય. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ જ રહે છે કે કેટલા kW ની સિસ્ટમ યોગ્ય રહેશે. જરૂરિયાત કરતા મોટો પ્લાન્ટ લગાવા પર શરૂઆતી ખર્ચ વધે છે અને ફાયદો એટલો મળતો નથી. સાચી કેપેસિટી પસંદ કરવી તેથી જરૂરી છે, જેથી રોકાણનો પૂરો ફાયદો મળે. સામાન્ય ઘરોના વપરાશને જોતા ૩ કિલોવોટની સિસ્ટમ એક યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું આના પર પણ સરકાર સબસિડી આપે છે? જાણી લો આ સમાચાર.
૩ કિલોવોટની સોલર પેનલ લગાવવામાં કેટલો ખર્ચ થશે?
જો તમે તમારા ઘરની છત પર 3kW ની સોલર પેનલ લગાવવા માંગો છો, તો જાણી લો કે ૨૦૨૬માં 3kW ઓન-ગ્રીડ રૂફટોપ સોલર સિસ્ટમની કિંમત સામાન્ય રીતે ૧.૫ લાખથી ૨.૨ લાખ રૂપિયાની વચ્ચે રહે છે. આ ખર્ચમાં સોલર પેનલ, ઇન્વર્ટર, માઉન્ટિંગ સ્ટ્રક્ચર, વાયરિંગ અને ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. આ કિંમત શહેર, બ્રાન્ડ અને ઇન્સ્ટોલરના હિસાબે થોડી ઉપર-નીચે થઈ શકે છે. સરેરાશ ઘર જેનો વપરાશ ૩૦૦ થી ૫૦૦ યુનિટ છે, તેના માટે 3kW કેપેસિટી યોગ્ય માનવામાં આવે છે.
શું આમાં પણ સરકાર તરફથી સબસિડી મળશે?
PM સૂર્યઘર યોજનામાં અલગ-અલગ કિલોવોટ મુજબ સબસિડી આપવામાં આવે છે. જો કોઈ ૩ કિલોવોટની સોલર પેનલ લગાવવા માંગે છે, તો યોજના હેઠળ 3kW કે તેથી મોટી સિસ્ટમ પર મહત્તમ ૭૮,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ રકમ વેરિફિકેશન પછી સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. સબસિડીનો ફાયદો લેવા માટે અધિકૃત પોર્ટલ પર અરજી કરવાની હોય છે અને ઇન્સ્ટોલેશન પ્રમાણિત વિક્રેતા પાસે કરાવવું જરૂરી છે. સબસિડી બાદ 3kW સિસ્ટમનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. સામાન્ય રીતે કુલ ખર્ચ ૮૨,૦૦૦ થી ૧.૨ લાખ રૂપિયાની વચ્ચે આવી શકે છે. આનાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે સોલર અપનાવવું વધુ સસ્તું બની જાય છે.

