8th Pay Commission Pension: 8મા વેતન પંચમાં શું નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન બંધ થઈ જશે? NC-JCMએ જણાવ્યું સંપૂર્ણ સત્ય

Arati Parmar
2 Min Read

8th Pay Commission Pension: 8મા વેતન પંચના અમલ બાદ શું નિવૃત્ત કર્મચારીઓને મળતું પેન્શન બંધ થઈ જશે? શું પેન્શન સુધારાનો લાભ માત્ર 2026 પછી નિવૃત્ત થનારા લોકોને જ મળશે? સોશિયલ મીડિયા પર આવા ઘણા સંદેશા વાયરલ થઈ રહ્યા છે. હવે નેશનલ કાઉન્સિલ (Joint Consultative Machinery- JCM)ની સ્ટાફ સાઇડના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી આપી છે. તેમણે આવા સમાચારોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.

શિવ ગોપાલ મિશ્રાએ શનિવારે એક્સ પર પોસ્ટ કરાયેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે ઘણા પેન્શનર્સે વાયરલ સંદેશાઓ અંગે માહિતી મેળવવા માટે તેમનો સીધો સંપર્ક કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ દાવાઓમાં કોઈ સત્ય નથી.

- Advertisement -

પેન્શન બંધ થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા

મિશ્રાએ જણાવ્યું કે તેમના નામે સોશિયલ મીડિયા પર આવા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક પેન્શનર્સનું પેન્શન બંધ થઈ જશે અથવા માત્ર 2026 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને જ પેન્શન અને તેમાં સુધારાનો લાભ મળશે. તેમણે પેન્શનર્સને આવા સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી અને જણાવ્યું કે આ તમામ બાબતો સંપૂર્ણપણે આધારવિહોણી છે.

પેન્શનના મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે

મિશ્રાના જણાવ્યા અનુસાર, 8મા વેતન પંચમાં પેન્શન સાથે જોડાયેલા મુદ્દાઓ પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનર્સ હોય કે આવનારા સમયમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ, સૌને પેન્શન મળતું રહેશે અને સમયની સાથે તેમાં સુધારો પણ થતો રહેશે.

- Advertisement -

સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો

શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર આવા ભ્રામક સમાચાર ફેલાવતા ચેનલોને રોકવાનો તેમની પાસે કોઈ રસ્તો નથી. જોકે, તેમણે પેન્શનર્સને સલાહ આપી કે તેઓ માત્ર યુનિયનના સત્તાવાર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરે. તેમણે જણાવ્યું કે અન્ય ચેનલો પરથી ફેલાવવામાં આવતા ભ્રામક સંદેશાઓને મહત્વ આપવાની જરૂર નથી.

- Advertisement -
Share This Article