Indus water crisis Pakistan: ભારતીયોના લોહીના બદલે હવે પાણી, પાણીના બુંદ બુંદ માટે ઉનાળામાં તરસસે પાકિસ્તાન

Arati Parmar
3 Min Read

Indus water crisis Pakistan: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જે બાદ સમગ્ર ભારતમાં લોકોનો ગુસ્સો આસમાને પહોંચી ગયો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 5 મોટા નિર્ણયો લીધા, જેમાં ભારતે એવું કર્યું જે અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. ભારતે આ અગાઉ આવા જ હુમલા અન્વયે બાલાકોટ સ્ટ્રાઇક કરી હતી.અને હવે આ હુમલા બાદ ભારતીયો પણ જંખી રહ્યા છે કે, ભારત સખ્ત પગલાં ઉઠાવે.જેને પગલે ભારતે 65 વર્ષમાં પ્રથમ વખત સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે.કે અટકાવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર, 1965, 1971 અને કારગિલના યુદ્ધ પછી પણ સિંધુ જળ સંધિ ક્યારેય સમાપ્ત થઈ ન હતી.

સિંધુ જળ સંધિ સમાપ્ત થયા પછી પાકિસ્તાન પર શું અસર થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં એક કરાર થયો હતો. જેને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. સિંધુ નદીમાં મુખ્ય નદી સિંધુ તેમજ તેની પાંચ ડાબા કાંઠાની ઉપનદીઓનો સમાવેશ થાય છે: રાવી, બિયાસ, સતલજ, જેલમ અને ચેનાબ. જમણા કાંઠાની ઉપનદી ‘કાબુલ’ ભારતમાંથી વહેતી નથી. રાવી, બિયાસ અને સતલજને પૂર્વીય નદીઓ કહેવામાં આવે છે જ્યારે ચિનાબ, જેલમ અને સિંધુ મુખ્ય નદીઓને પશ્ચિમી નદીઓ કહેવામાં આવે છે. તેનું પાણી ભારત અને પાકિસ્તાન બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ભારતે હવે સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી પણ રોકવાનો નિર્ણય લીધો છે. આનાથી પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાઈ શકે છે, જેના કારણે ભારે અછત સર્જાશે.

- Advertisement -

ભારત હજુ પણ નુકસાન સહન કરી રહ્યું હતું
જો કે, ભારતને ઘરેલું ઉપયોગ, સિંચાઈ અને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન માટે પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવાની છૂટ છે. પરંતુ સંગ્રહ ક્ષમતાના અભાવે ભારત તેના કાયદેસરના હિસ્સાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. IWT મુજબ ભારતને પશ્ચિમી નદીઓ પર 3.6 મિલિયન એકર ફીટ સુધીની જળ સંગ્રહ ક્ષમતા બનાવવાનો અધિકાર હોવા છતાં, પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા બનાવવામાં આવી નથી. તદુપરાંત, પશ્ચિમી નદીઓ પરના પાવર પ્રોજેક્ટ્સમાંથી 20,000 મેગાવોટની અંદાજિત પાવર સંભવિતમાંથી, માત્ર 3,482 મેગાવોટનું જ નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ભારત પાસે પોતાના ફાયદા મુજબ બધું કરવાની મોટી તક છે.

પાકિસ્તાન પાણીના ટીપા ટીપા માટે માટે ઝંખશે
સિંધુ નદીને પાકિસ્તાનની જીવનરેખા નદી કહેવામાં આવે છે. છે. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં માનસરોવર પાસે સિન-કા-બાબ પ્રવાહ હોવાનું માનવામાં આવે છે. અહીંથી આ નદી તિબેટ અને કાશ્મીરની વચ્ચે વહે છે. નંગા પરબતના ઉત્તરીય ભાગની પરિક્રમા કરતી આ નદી દક્ષિણ-પશ્ચિમમાં પાકિસ્તાનમાંથી પસાર થાય છે. આ નદીનો મોટાભાગનો ભાગ પાકિસ્તાનમાં જ જાય છે. તદુપરાંત, આ નદીના મોટાભાગના પાણીનો ઉપયોગ ઘરોમાં પીવાના હેતુ માટે અને ખેતી માટે થાય છે. આ સિવાય પાકિસ્તાન પાસે આ નદી પર ઘણા મહત્વપૂર્ણ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. આવી સ્થિતિમાં આ નદીને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદીનો દરજ્જો પણ મળે છે. હવે તમે સમજો છો કે જો ભારત આ પાણી બંધ કરશે તો શું થશે? લોકો પાણીના પ્રત્યેક ટીપા માટે તરશસે કે મોહતાઝ થશે.

- Advertisement -
Share This Article