Religious Hypocrisy Scandals: ધર્મના નામે ધતિંગ: સેક્સકાંડના આરોપીઓને મહંતપદ અને મહિલાઓને ભગાડતા સાધુઓ, શું કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાખંડની પૂજા એ જ પરમ ધર્મ બની ગયો છે?

Arati Parmar
2 Min Read

Religious Hypocrisy Scandals: વર્તમાન સમયમાં ધર્મની આડમાં ચાલતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. જ્યારે પણ કોઈ લંપટ લીલાઓ કે અનૈતિક કામો બહાર આવે છે, ત્યારે તે સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ સાચું જોવાની દરકાર કરવાને બદલે સમાચાર રજૂ કરનાર સામે જ સવાલ ઉઠાવે છે. ૨૦૦૫ના સેક્સસીડી કાંડના આરોપીને મંદિરના મુખ્ય મહંત બનાવવામાં આવે અને તે મહંતના શિષ્યો મહિલાઓ સાથે સંસાર માંડવા ભાગી જાય, તેમ છતાં ભક્તો દ્વારા કોઈ વિરોધ ન થાય તે ખરેખર ગંભીર બાબત છે. આવા કિસ્સાઓમાં ભક્તોની મૌન સ્વીકૃતિ પાખંડી તત્વોને વધુ બળ પૂરું પાડે છે.

આચાર્યની નિવેદનબાજી અને ભક્તોની લાચારી

મંદિરોમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આચાર્ય દ્વારા કરવામાં આવતા બેફામ નિવેદનો સંપ્રદાયની છબી ખરડી રહ્યા છે. આક્ષેપ છે કે શિસ્ત જાળવવાને બદલે “નામ તો હુઆ” જેવી ડંફાસો મારીને ગેરવર્તણૂકને પ્રોત્સાહન આપવામાં આવે છે. દુઃખની વાત એ છે કે સંપ્રદાયના ટ્રસ્ટીઓ કે અગ્રણી ભક્તો પણ આચાર્યને રોકવાની કે ટોકવાની હિંમત ધરાવતા નથી. આ પરિસ્થિતિ ‘ઉજ્જળ ગામમાં એરંડીયો પ્રધાન’ જેવી બની ગઈ છે, જ્યાં સાચું કહેનારા સાધુઓની હકાલપટ્ટી થાય છે અને જી-હજૂરી કરનારા પાખંડીઓને મહત્વ મળે છે.

- Advertisement -

સંપ્રદાયની બદલાતી છબી અને વિખેરાતો હરિભક્ત સમુદાય

ભૂતકાળમાં આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ જેવા ગુરુઓ સાધુઓ અને ભક્તોને સાથે લઈને ચાલતા હતા, જેના કારણે સૌના હૃદયમાં તેમના પ્રત્યે આદર હતો. પરંતુ વર્તમાન સમયમાં વહીવટી ખામીઓ અને વિવાદોને કારણે વર્ષો જૂનો વિશ્વાસુ સમુદાય વેરવિખેર થઈ રહ્યો છે. જમિયતપુરા જેવા મંદિરોમાં પણ મહંતો વિરુદ્ધ પત્રિકાઓ વાયરલ થવી તે દર્શાવે છે કે અંદરખાને બધું બરાબર નથી. જો પાખંડને પૂજવાનું બંધ કરવામાં નહીં આવે અને અધર્મને પ્રોત્સાહન અપાશે, તો ધાર્મિક સંસ્થાઓ પોતાની પવિત્રતા ગુમાવી દેશે.

Share This Article