Ahmedabad Flood Warning System: અમદાવાદ માટે સારા સમાચાર! હવે પૂર અને ભારે વરસાદની અગાઉથી જાણ થશે..

Arati Parmar
2 Min Read

Ahmedabad Flood Warning System: અમદાવાદ માટે સારા સમાચાર! હવે પૂર અને ભારે વરસાદની અગાઉથી જાણ થશે..

દર ચોમાસે અમદાવાદવાસીઓને સૌથી મોટી ચિંતા હોય છે જળભરાવ અને સાબરમતી નદીમાં પૂરની. આ વખતે આ સમસ્યાનો ઉકેલ ટેકનોલોજીથી આવી રહ્યો છે.

- Advertisement -

આઈ.આઈ.ટી-ગાંધીનગર હવે અમદાવાદ શહેર માટે અદ્યતન ચેતવણી તંત્ર બનાવી રહ્યું છે. આ તંત્ર સાબરમતી નદીના 6400 ચોરસ કિલોમીટરના કેચમેન્ટ વિસ્તાર પર સત નજર રાખશે.

એટલે કે જ્યાં વરસાદનું પાણી ભેગું થઈને નદીમાં આવે છે એ આખા વિસ્તારનો ડેટા એકત્ર કરીને કમ્પ્યુટર દ્વારા ગણતરી કરવામાં આવશે. ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિ આવે એના કલાકો પહેલા જ નાગરિકોને મોબાઈલ સંદેશા દ્વારા ચેતવણી આપી દેવામાં આવશે. આનાથી જાનમાલનું નુકસાન મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે.

- Advertisement -

આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના “શહેરી પૂર જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ” હેઠળ ચાલી રહ્યો છે. કુલ 286 કરોડના બજેટમાંથી અમદાવાદ શહેર માટે 75 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સાથે જ અમદાવાદમાં હવે “સ્પોન્જ સિટી”નો ખ્યાલ પણ અપનાવવામાં આવશે. એટલે કે રસ્તાઓ પર એવા પેવર્સ લગાવવામાં આવશે જેમાંથી વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતરી જાય અને રસ્તા પર પાણી ભરાય નહીં.

- Advertisement -

નિષ્ણાતોના મતે આ તંત્ર શરૂ થયા બાદ અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક બનશે. હવે વરસાદ આવે એટલે ગભરાવાની જરૂર નહીં, કારણ કે એલર્ટ પહેલા આવી જશે.

તમને શું લાગે છે આ યોજનાથી કેટલો ફાયદો થશે? નીચે તમારો અભિપ્રાય જણાવો 👇

અમદાવાદ પૂર ચેતવણી, IIT ગાંધીનગર અમદાવાદ, સાબરમતી નદી પૂર, અમદાવાદ જળભરાવ સમાચાર, સ્પોન્જ સિટી અમદાવાદ, શહેરી પૂર વ્યવસ્થાપન, અમદાવાદ ભારે વરસાદ આગાહી

Share This Article