વિદ્યાર્થીઓ માટે સસ્તી Education Loan સુવિધા, SBIથી લઈને IDBI સુધીની બેંકોના વ્યાજ દર જાણો
Education Loan: દેશમાં સ્ટુડન્ટ્સના શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે ઘણી બધી બેંકો એજ્યુકેશન લોનની સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત કેન્દ્ર અને અનેક રાજ્ય સરકારોએ પણ વિદ્યાર્થીઓ માટે સસ્તી એજ્યુકેશન લોનની વ્યવસ્થા કરી રાખી છે. આ દરમિયાન જો કોઈને અભ્યાસ માટે લોનની જરૂર હોય તો તેને તેના માટે વધારે વિચારવાની જરૂર નથી અને ન તો પરેશાન થવાની જરૂર છે.
તમે બેંકો અથવા સરકાર દ્વારા આપવામાં આવી રહેલી એજ્યુકેશન લોનની સુવિધાનો લાભ લઈ શકો છો. આવો, અહીં કેટલીક બેંકો વિશે જાણીએ જે ઓછા વ્યાજ દરે સ્ટુડન્ટ્સને એજ્યુકેશન લોન આપી રહી છે. આ સાથે જ આપણે શિક્ષણ લોન (Education Loan Benefits)ના કેટલાક ખાસ ફાયદા વિશે પણ જાણીશું.
આ બેંકો આપી રહી છે એજ્યુકેશન લોન
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના પાત્ર ગ્રાહકો માટે 7.25 ટકાના વાર્ષિક વ્યાજ દરે એજ્યુકેશન લોનની સુવિધા પૂરી પાડે છે.
- SBI કેટલીક ટોપ સંસ્થાઓ જેવી કે IIT, IIM માટે એજ્યુકેશન લોનના વ્યાજ દરમાં છૂટ પણ આપે છે અને આ 6.75 ટકા સુધીની લોન હોઈ શકે છે.
- HDFC બેંક પોતાના પાત્ર લોકો માટે 8.64 ટકાથી લઈને 10.50 ટકા સુધીના વાર્ષિક વ્યાજ દરે એજ્યુકેશન લોનની સુવિધા આપે છે.
- ICICI બેંક 9.00 ટકાના વાર્ષિક વ્યાજ દરે એજ્યુકેશન લોનની શરૂઆત કરે છે.
- Axis બેંક 10.25 ટકાના વાર્ષિક વ્યાજ દરે એજ્યુકેશન લોન પૂરી પાડે છે.
- Bank of Baroda લગભગ 6.85 ટકાથી 8.7 ટકાના વાર્ષિક વ્યાજ દરે એજ્યુકેશન લોન પૂરી પાડે છે.
- Punjab National Bank 8.1 ટકાથી એજ્યુકેશન લોનની શરૂઆત કરે છે.
- Union Bank લગભગ 8.2 ટકાના વ્યાજ દરે શિક્ષણ લોન આપે છે.
- IDFC બેંક 9.50 ટકાના દરે શિક્ષણ લોન આપે છે.
- IDBI બેંક 9.90 ટકાના દરે લોન આપે છે.
એજ્યુકેશન લોનના ફાયદા
સ્ટુડન્ટ્સ માટે જો કોઈપણ પ્રકારની આર્થિક મદદની જરૂર હોય તો તેના માટે એજ્યુકેશન લોનને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. તેનો એક ખાસ અને મોટો ફાયદો એ હોય છે કે તે પર્સનલ લોનની સરખામણીમાં ઓછા વ્યાજ દરવાળી હોય છે. તેનાથી લોન ચૂકવવામાં વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી પડતી નથી।
- ઓછા વ્યાજ દરે સસ્તી અને સારી એજ્યુકેશન લોન મળી જાય છે.
- કોઈપણ ગેરંટી વિના નક્કી મર્યાદા (લગભગ 7.50 લાખ રૂપિયા) સુધી લોન મળી જાય છે. આ બેંકોના પોતાના-પોતાના નિયમ અનુસાર હોય છે.
- અભ્યાસ પૂર્ણ થયા બાદ એજ્યુકેશન લોન ચૂકવવાની ઉતાવળ હોતી નથી.
- એજ્યુકેશન લોન ચૂકવવા માટે મોરેટોરિયમ પિરિયડ મળે છે.
- મોરેટોરિયમ પિરિયડની વાત કરીએ તો તે કોર્સ પૂર્ણ થયાના એક વર્ષ સુધી અથવા તો નોકરી મળવા સુધી તમને લોનનો હપ્તો ચૂકવવામાં છૂટ આપે છે.
- ઘણી બેંકો ખાસ કરીને વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન લોન ચૂકવવા માટે વ્યાજ દરોમાં કેટલીક છૂટ આપી દે છે.
એજ્યુકેશન લોન માટે જરૂરી દસ્તાવેજો
એજ્યુકેશન લોન માટે કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર હોય છે. તેના માટે તમારે અરજી ફોર્મ ભરવાનું હોય છે. જ્યારે ઓળખપત્ર, આધાર કાર્ડ, શૈક્ષણિક દસ્તાવેજો (એજ્યુકેશનલ સર્ટિફિકેટ), નિવાસ પ્રમાણપત્ર, બેંક સ્ટેટમેન્ટ, પ્રવેશનો પુરાવો (એડમિશન) સહિત અન્ય જરૂરી દસ્તાવેજો બેંકને આપવા પડે છે.

