Maharatna Status BHEL SAIL: કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બે મોટી કંપનીઓ Bharat Heavy Electricals Limited (BHEL) અને Steel Authority of India Limited (SAIL) ને તેમના ખરાબ નાણાકીય પ્રદર્શનને લઈને એક વર્ષનું અલ્ટીમેટમ આપ્યું છે. સત્તાવાર દસ્તાવેજો મુજબ, જો એક વર્ષની અંદર તેમના પ્રદર્શનમાં સુધારો નહીં થાય, તો તેમની પાસેથી Maharatna નો પ્રતિષ્ઠિત દરજ્જો છીનવીને તેમને Navratna Category માં મૂકી દેવામાં આવશે.
દેશમાં આ એવો પહેલો કિસ્સો છે જ્યારે કોઈ Maharatna કંપનીને દરજ્જો ઘટાડવાની ચેતવણી સાથે નોટિસ પર રાખવામાં આવી હોય. Cabinet Secretary T. V. Somanathan ની અધ્યક્ષતાવાળી સમિતિએ આ કડક ભલામણ કરી છે .
કેમ આવી આવી પરિસ્થિતિ?
એક સરકારી મૂલ્યાંકન અનુસાર BHEL અને SAIL છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 5,000 કરોડ રૂપિયાથી વધુનો સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો (PAT) નોંધાવવાના ફરજિયાત નિયમને પૂરો કરવામાં નિષ્ફળ રહી છે. આ કારણે આ કંપનીઓ પરથી ‘Maharatna’ Status ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
14 માંથી માત્ર 2 ખરી ન ઉતરી
દેશની કુલ 14 Maharatna કંપનીઓમાંથી માત્ર આ બે કંપનીઓ જ આ માપદંડ પર ખરી નથી ઉતરી. Maharatna નો દરજ્જો જાળવી રાખવા માટેની અન્ય મુખ્ય શરતો (છેલ્લા 3 વર્ષના સરેરાશ આધાર પર) આ પ્રમાણે છે: વાર્ષિક Turnover 25,000 કરોડ રૂપિયાથી વધુ હોવું જોઈએ. કુલ સંપત્તિ 15,000 કરોડ રૂપિયાથી વધુ હોવી જોઈએ. વાર્ષિક ચોખ્ખો નફો (PAT) 5,000 કરોડ રૂપિયાથી વધુ હોવો જોઈએ. કંપનીની મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ અથવા આંતરરાષ્ટ્રીય કારોબાર હોવો જોઈએ.
દરજ્જો ઘટવાથી કંપનીઓ પર શું અસર પડશે?
જો આ કંપનીઓનો Maharatna નો દરજ્જો ઘટાડીને Navratna કરવામાં આવે છે, તો તેમના બોર્ડની સ્વાયત્તતા (Autonomy) ખૂબ જ ઓછી થઈ જશે: Maharatna કંપનીઓ સરકારની મંજૂરી વગર 5,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. જ્યારે Navratna કંપનીઓ માટે આ મર્યાદા માત્ર 1,000 કરોડ રૂપિયા છે.
સરકારે નિયમો કર્યા કડક
સરકારે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs) માટે વાર્ષિક પ્રદર્શનના નિયમો વધુ કડક બનાવ્યા છે. Corporate Social Responsibility (CSR) ની જવાબદારીઓ પૂરી ન કરવા, MSMEs ના ચુકવણામાં વિલંબ કરવા અથવા Succession Plan તૈયાર ન કરવા બદલ ભારે પેનલ્ટી લગાવવામાં આવશે અને પૂરા માર્ક્સ કાપી લેવામાં આવશે. આ નિયમો નાણાકીય વર્ષ 2026-27 (FY27) થી લાગુ થશે.
સુધારા માટે મંત્રાલયોની શું છે યોજના?
ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ BHEL અને SAIL ના નફાને વધારવા માટે એક વિગતવાર Turnaround Plan એટલે કે સુધારા યોજના રજૂ કરે.
સ્ટીલ મંત્રાલયે જણાવ્યું કે SAIL નું સરેરાશ વાર્ષિક Turnover છેલ્લા 4 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ અને સરેરાશ Net Worth 53,976 કરોડ રૂપિયા રહી છે.
જો કે, ત્રણ વર્ષના સરેરાશ નફાનો 5,000 કરોડ રૂપિયાવાળો માપદંડ કંપનીએ છેલ્લે 2022-23 માં સ્પર્શ કર્યો હતો, જેના પછી સ્ટીલના ભાવોમાં ઉતાર-ચઢાવને કારણે નફો ઘટ્યો હતો.
NITI Aayog એ નોંધ્યું છે કે BHEL ની Human Resource (HR) નીતિઓ તેની Growth માં સૌથી મોટો અવરોધ છે, જેમાં મોટા સુધારાની જરૂર છે.
ભારે ઉદ્યોગ મંત્રાલયે ભરોસો આપ્યો છે કે BHEL ના નાણાકીય પ્રદર્શનને સુધારવા માટે એક નવી યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેના નફામાં સુધારો પણ દેખાવા લાગ્યો છે.
‘રત્ન’ માપદંડોની થશે નવી સમીક્ષા
બેઠકમાં સામેલ NITI Aayog ના પ્રતિનિધિઓનું માનવું છે કે Maharatna માટે નક્કી કરાયેલા Turnover, Net Worth અને નફાના માપદંડો વર્ષ 2010 થી બદલાયા નથી અને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ નથી. આ જ કારણે સમિતિએ Department of Public Enterprises (DPE) ને નિર્દેશ આપ્યો છે કે તે વર્ષ 2025 ની કિંમતોના આધારે આ માપદંડોની ફરીથી સમીક્ષા કરે અને ત્યારપછી બધી સરકારી કંપનીઓનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે.

