MF Covered Call Strategy: તમારું મ્યુચ્યુઅલ ફંડ વધારે કમાણી કેવી રીતે કરશે? રેન્જ-બાઉન્ડ માર્કેટમાં ‘કવર્ડ કોલ્સ’ બન્યા નવો ટ્રેન્ડ; ૬ વર્ષમાં ડેરિવેટિવ્ઝ રોકાણ ૪ ગણું વધ્યું

Arati Parmar
2 Min Read

MF Covered Call Strategy: સુસ્ત બજારમાં વધુ સારું વળતર મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ હવે ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી યોજનાઓએ તેમના સંચાલનના ભાગ રૃપે કવર્ડ કોલ્સનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું છે. કેટલાક ફંડોએ તાજેતરમાં રોકાણકારોને જાણ કરી હતી કે તે કવર્ડ કોલ ઓપ્શન્સનો ઉપયોગ કરશે અને તે મુજબ તેના ફંડ સ્ટ્રક્ચરમાં સુધારો કરશે.

કોલ ઓપ્શન એ પૂર્વનિર્ધારિત ભાવે સ્ટોક અથવા ઇન્ડેક્સ ખરીદવાનો અધિકાર છે. જો કિંમત કોલ ઓપ્શનમાં લૉક કરેલી કિંમતથી ઉપર વધે છે, તો ખરીદનારને નફો થાય છે. કોલ ઓપ્શનનો વેચનાર તેને પૂર્વનિર્ધારિત ભાવે ડિલિવર કરે છે અથવા વ્યવહારના આધારે રોકડમાં સેટલ કરી શકે છે.

- Advertisement -

વિદેશી મ્યુચ્યુઅલ ફંડના મેનેજરે સૂચવ્યું હતું કે એસેટ મેનેજરો સામાન્ય રીતે આ વ્યૂહરચનાનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેઓ અપેક્ષા રાખે છે કે બજાર રેન્જ-બાઉન્ડ રહેશે અથવા મર્યાદિત અપટાઇડ સંભાવના ધરાવે છે.

સપ્ટેમ્બર ૨૦૨૪માં બીએસઈ સેન્સેક્સ એક વર્ષ પછી પણ ૮૫,૯૭૮.૨૫ની તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીથી નીચે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ૨૦૧૦માં મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઓપ્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ તેણે ૨૦૧૯માં આ જોગવાઈમાં સુધારો કરીને કવર્ડ કોલ્સને મંજૂરી આપી હતી.

- Advertisement -

કવર્ડ કોલ્સ ટૂંકા ગાળાની બજાર પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાને બદલે આવક ઉત્પન્ન કરવાનો એક વ્યૂહાત્મક માર્ગ બની ગયો છે. જો શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે, તો કવર્ડ કોલ્સ થોડું વધારાનું વળતર ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે.

જાણકારોએ જણાવ્યું હતું કે કવર્ડ કોલ્સ ખાસ કરીને હાઇબ્રિડ સ્કીમ્સ માટે ઉપયોગી થઈ શકે છે જે ડેટ અને ઇક્વિટી બંનેમાં રોકાણ કરે છે, કારણ કે આ ફંડ્સને ઘણીવાર તેમની સંપત્તિ ફાળવણી જાળવવા માટે મૂલ્યવાન ઇક્વિટી વેચવાની જરૃર પડે છે. કવર્ડ કોલ્સથી તેઓ વધુ કાર્યક્ષમ રીતે આમ કરી શકે છે.

- Advertisement -

મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ ડેરિવેટિવ્ઝ રોકાણ સપ્ટેમ્બર ૨૦૧૯માં રૃ. ૦.૬ લાખ કરોડથી વધીને સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં રૃ. ૨.૬ લાખ કરોડ થયું છે. આમાંથી કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સની વધતી જતી સંપત્તિ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને પણ પ્રતિબિંબિત કરે છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં આ સંપત્તિઓના ટકાવારી તરીકે ડેરિવેટિવ પોઝિશનનો હિસ્સો ૩.૪ ટકા હતો જે સપ્ટેમ્બર ૨૦૧૯ માં ૨.૨ ટકા હતો.

Share This Article