Bioluminescent Bacteria Discovery MSU: એમ.એસ. યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓએ રત્નાગીરીના સમુદ્રમાંથી શોધ્યા ખાસ બેક્ટેરિયા, વિજ્ઞાન જગતમાં વડોદરાનું નામ કર્યું રોશન

Arati Parmar
3 Min Read

Bioluminescent Bacteria Discovery MSU: ગુજરાતની વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) હેઠળ આવતી એમ.કે. અમીન કોલેજ, પાદરાના બે વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બીએસસી માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થી અર્ણવ ઢમઢેરે અને હરિઓમ પાઠકે સમુદ્રના પાણીમાંથી એક એવા બેક્ટેરિયાની શોધ કરી છે જે અંધારામાં રોશની પેદા કરે છે. આને બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયા કહેવામાં આવે છે અને તેમની આ શોધ એકેડેમિક અને સાયન્સ જગતમાં ચર્ચાનો વિષય બની છે. અર્ણવ અને હરિઓમે પોતાના સંશોધનથી માત્ર પોતાની કોલેજ જ નહીં, પરંતુ સમગ્ર વડોદરાને ગૌરવ અપાવ્યું છે, સાથે જ યુવા વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કર્યા છે.

અમીન કોલેજના વિદ્યાર્થી અર્ણવ ઢમઢેરે જણાવ્યું કે હર્બલ સાયન્સના ઓપન હાઉસમાં શાળાના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયાને આઈસોલેટ કરવાનો અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય કંઈક અલગ કરીને બતાવવાનો હતો.

- Advertisement -

આવી રીતે શોધ્યા રોશનીવાળા બેક્ટેરિયા

અર્ણવે જણાવ્યું કે અભ્યાસ દરમિયાન અમને ખબર પડી કે બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયાને કારણે રાત્રે સમુદ્ર ચમકે છે. આ બેક્ટેરિયાની શોધ કરવાનું આ જ કારણ છે. અર્ણવે જણાવ્યું કે હરિઓમ સમુદ્રનું પાણી લઈ આવ્યો હતો. અમને બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયા મળ્યા છે. આ બેક્ટેરિયા ખૂબ જ કામના છે.

ખારા પાણીમાં રહે છે જીવતા

અમીન કોલેજના વિદ્યાર્થી હરિઓમ પાઠકે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી આના પર કામ કરી રહ્યા છીએ. આ બેક્ટેરિયાની શોધ કરવાનો અમારો પ્રયાસ હતો. અમને રિફાઈન અને ઓળખ કરવા માટે એક વર્ષનો સમય લાગ્યો. બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયા ખારા પાણીમાં જીવતા રહે છે. આ બેક્ટેરિયાને ઓળખવામાં છ મહિનાનો સમય લાગ્યો. નાની-નાની સમસ્યાઓને કારણે અમને આની ઓળખ કરવામાં વધુ સમય લાગ્યો.

- Advertisement -

લિક્વિડ બનાવવાનું કામ કરશે

પ્રોફેસરે જણાવ્યું કે અમે વિદ્યાર્થીઓને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. સંશોધન માટે તેમને જે પણ વસ્તુની જરૂર પડી, અમે ઉપલબ્ધ કરાવી. બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયા લિક્વિડ બનાવવાના કામમાં આવશે. આ માટે અમે પણ પ્રયાસ કરવાના છીએ. ક્યાંક ટેસ્ટિંગ કે ડાયગ્નોસિસ માટે પણ આનો ઉપયોગ થઈ રહ્યો છે. અમારો પણ પ્રયાસ રહેશે આને કરવાનો.

મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાંથી લીધા સેમ્પલ

પ્રોફેસર દેવર્ષિ ગજ્જર અને ડૉ. પ્રિયા મિશ્રાના માર્ગદર્શન હેઠળ થયેલા આ સંશોધનમાં આ વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાંથી દરિયાઈ પાણીના નમૂના એકત્ર કર્યા હતા. ત્યારબાદ તેમાં રહેલા આ ખાસ બેક્ટેરિયાનું આઈસોલેશન કરીને અભ્યાસ કર્યો. લગભગ ૧૧ મહિનાની સખત મહેનત, પ્રયોગશાળામાં સચોટ પ્રયોગો અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવેલા આ સંશોધને આખરે આ મહત્વપૂર્ણ સફળતા અપાવી.

- Advertisement -

બાયોલ્યુમિનિસન્ટ બેક્ટેરિયાનો ઉપયોગ ભવિષ્યમાં પ્રદૂષણની દેખરેખ, મેડિકલ રિસર્ચ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં કરી શકાય છે. હાલમાં, તેમનું પેથોલોજીકલ વિશ્લેષણ ચાલુ છે, જેના પછી તેમના વ્યાપક ઉપયોગના નવા રસ્તાઓ ખુલવાની આશા છે.

Share This Article