Gujarat High Court Hindu Marriage: સપ્તપદી વિના લગ્ન અધૂરા, ગુજરાત હાઈકોર્ટે હિન્દુ લગ્ન સંસ્કાર અંગે સ્પષ્ટતા કરી

Arati Parmar
2 Min Read

Gujarat High Court Hindu Marriage: ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે મંગળવારે હિન્દુ લગ્ન અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે વ્યવસ્થા આપી છે કે જો ‘સપ્તપદી’ જેવી પરંપરાગત વિધિઓ અને સમારોહ આયોજિત કરવામાં ન આવે, તો માત્ર રજિસ્ટ્રેશનના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માનવામાં ન આવી શકે. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે પરંપરાગત સમારોહ, પોતાની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓને છતાં વ્યક્તિના આધ્યાત્મિક અસ્તિત્વને શુદ્ધ અને પરિવર્તિત કરે છે. આ ચુકાદો ગત વર્ષે નવેમ્બરમાં એક ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરતા આવ્યો છે.

શું છે મામલો?

- Advertisement -

વાસ્તવમાં ફેમિલી કોર્ટે પક્ષકારો વચ્ચે થયેલા કથિત લગ્નને અમાન્ય જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેને બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ પડકાર્યો હતો. જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ આર.ટી. વાછણીની બેન્ચે કહ્યું કે સપ્તપદી જેવી આવશ્યક વિધિ હિન્દુ લગ્નનો આધાર છે. આ મામલો અપીલકર્તા કૌશલ સોનાર સાથે જોડાયેલો છે, જેમણે લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી.

અપીલ કરનારે શું જણાવ્યું?

- Advertisement -

સોનારે અદાલતને જણાવ્યું કે તેમને આ કથિત લગ્ન વિશે ત્યારે ખબર પડી જ્યારે પ્રતિવાદી મહિલાએ તેમના માતા-પિતાનો સંપર્ક કર્યો અને એક લગ્ન પ્રમાણપત્ર સોંપીને દાવો કર્યો કે તે તેમની કાયદેસર રીતે પરણેલી પત્ની છે. તેમણે દાવો કર્યો કે તેમણે પ્રતિવાદી સાથે ક્યારેય કોઈ લગ્ન કર્યા નથી. કોઈ હિન્દુ વિધિ નિભાવી નથી અને ન તો ક્યારેય પતિ તરીકે તેમની સાથે રહ્યા છે.

અરજીને ફગાવીને ભૂલ કરી

- Advertisement -

હાઈકોર્ટે નોંધ્યું કે જ્યારે પ્રતિવાદી મહિલાએ ફેમિલી કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે પક્ષકારો વચ્ચે લગ્નની કોઈ વિધિ કે સમારોહ થયો ન હતો અને બંને વચ્ચે ક્યારેય પતિ-પત્નીનો સંબંધ રહ્યો નથી, ત્યારે ફેમિલી કોર્ટે અપીલકર્તા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવીને ભૂલ કરી હતી.

હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૭ નો ઉલ્લેખ

અદાલતે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ સાતનો ઉલ્લેખ કર્યો. તેમાં લગ્નને પૂર્ણ અને બંધનકર્તા બનાવવા માટે પરંપરાગત વિધિઓ અને સમારોહનો ઉલ્લેખ છે. અદાલતે કહ્યું કે કારણ કે લગ્નની કોઈ વિધિ અને સમારોહ આયોજિત કરવામાં આવ્યો ન હતો, તેથી આ મામલામાં હિન્દુ લગ્નની પાયાની અને આવશ્યક શરતો પૂરી થતી નથી.

Share This Article