Manish Sisodia on AAP MP Joins BJP: ગદ્દારોને પંજાબ માફ નહીં કરે! ગુજરાતની ચૂંટણી ટાણે જ સાત સાંસદોના બળવાથી મનીષ સિસોદિયા લાલચોળ, કાર્યકર્તાઓની મહેનતનો સોદો કરનારા નેતાઓ પર રાજકોટની ધરતી પરથી કર્યા આકરા પ્રહાર

Arati Parmar
2 Min Read

Manish Sisodia on AAP MP Joins BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અંતિમ દિવસે સૌરાષ્ટ્રના રાજકોટમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન પાર્ટી નેતા રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોના પાર્ટી છોડવાના સમાચારથી પાર્ટી હચમચી ગઈ હતી. સાંસદોના પાર્ટી છોડવા પર મનીષ સિસોદિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ત્રણ દિવસથી ગુજરાતમાં છું. જે સમયે ગુજરાતમાં હજારો કાર્યકર્તાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને, તમામ ખતરા અને ભાજપની ધમકીઓ સહન કરીને પાર્ટીની વિચારધારાને મજબૂત કરવા માટે લોહી પરસેવો વહાવી રહ્યા છે, તે જ સમયે કેટલાક ગદ્દારોએ પંજાબના કાર્યકર્તાઓની લોહી પરસેવાની કમાણીનો સોદો કરી લીધો.

આમને પંજાબ માફ નહીં કરે

સિસોદિયાએ એક્સ (X) પર લખ્યું કે જે રાજ્યસભા સભ્યો આજે ભાજપ સામે ઝૂકી ગયા, પોતાની અંગત મજબૂરીઓ, ડર અને લાલચને કારણે જેમણે પંજાબના લોકો સાથે ગદારી કરી છે, તેમને ખબર હોવી જોઈએ કે પંજાબ ગદ્દારોને ક્યારેય માફ કરતું નથી. આમ આદમી પાર્ટીને પંજાબમાં એવા સમયે ઝટકો લાગ્યો છે જ્યારે રાજ્યમાં ભાજપ મિશન ગુજરાતના નિર્ણાયક વળાંક પર ઉભી છે. ગુજરાતમાં ‘આપ’ એ સુરતને ગેટવે બનાવીને એન્ટ્રી લીધી હતી. તે સુરત સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાઓ અને 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. આ તમામના પરિણામો 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરો થાય તે પહેલા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની અને અશોક મિત્તલે ‘આપ’ છોડવાની જાહેરાત કરી દીધી.

- Advertisement -

આપ પાસે વધ્યા ત્રણ સાંસદ

આ સાંસદોના ભાજપમાં જવાથી સંસદના ઉચ્ચ સદનમાં ‘આપ’ ના હવે ત્રણ રાજ્યસભા સાંસદો રહી ગયા છે. જેમાં સંજય સિંહ અને એન ડી ગુપ્તા બંને દિલ્હીથી રાજ્યસભાના સભ્યો છે. પંજાબથી એકમાત્ર સાંસદ બલબીર સિંહ સીચેવાલ હવે રાજ્યસભામાં બાકી રહ્યા છે. ‘આપ’ ને આ ઝટકો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા લાગ્યો છે. પાર્ટી છોડનારાઓમાં સામેલ ડો. સંદીપ પાઠક ગુજરાતના પ્રભારી પણ રહી ચૂક્યા છે, જોકે પાર્ટીએ છેલ્લા દિવસોમાં તેમને હટાવીને ગોપાલ રાયને પ્રભારી બનાવી દીધા હતા.

Share This Article