સુરતઃ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે રાહત, સરકાર આપશે વળતર.

Reena Brahmbhatt
1 Min Read

સર્વેનો રિપોર્ટ સોમવારે કૃષિ વિભાગને સુપરત કરાશેઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ.

રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારે સુરતની મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે હાથ ધર્યો છે. સર્વેનો રિપોર્ટ સોમવારે કૃષિ વિભાગને સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને વળતર આપશે.

- Advertisement -

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાન

રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં 12 મેથી 16 મે દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.

- Advertisement -

મુખ્યમંત્રીના આદેશથી સર્વે

સમગ્ર પરિસ્થિતિ જોઈને મુખ્યમંત્રીએ મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કૃષિ વિભાગની ટીમોએ 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે.

- Advertisement -

istockphoto

અહેવાલના આધારે સહાયની રકમનું નિર્ધારણ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સર્વે રિપોર્ટના આધારે સરકાર ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને તે મુજબ સહાયની રકમ નક્કી કરશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને તમામ શક્ય મદદ કરશે.

ખેડૂતોમાં રાહતની આશા

આ જાહેરાતથી અસરગ્રસ્ત ખેડૂતોમાં રાહતની આશા જાગી છે. તેમનું કહેવું છે કે સરકારની આ પહેલ તેમને તેમના નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે.

Share This Article