શરીરમાં પૂરતાં પોષક તત્ત્વો ના હોવાને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે.

newzcafe
3 Min Read

શારીરિક તકલીફનો ઉકેલ ભોજનની થાળીમાં


શારીરિક તકલીફનો ઉકેલ ભોજનની થાળીમાં 


શરીરમાં પૂરતાં પોષક તત્ત્વો ના હોવાને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે.


1. હાથ-પગમાં વારંવાર કળતર થાય છે


આ એક સૌથી સામાન્ય સમસ્યા છે. હાથ અને પગમાં કળતરની સમસ્યા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે. આજકાલ તો લોકો નાની ઉંમરમાં પણ આ બીમારીની ફરિયાદ કરતા હોય છે.


આવું કેમ થાય છેઃ શરીરમાં વિટામિન B12, Eની ઊણપને કારણે.


ખોરાક દ્વારા એ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય:


દૂધ, દહીં, ચીઝ વગેરે ડેરી પ્રોડક્ટ લેવી.


તમારા ડાયટમાં મગફળી, સોયાબીન અથવા સૂર્યમુખી તેલનો સમાવેશ કરો.


2. સૂતી વખતે કે જાગતી વખતે નસો ચઢી જવાની સમસ્યા


આપણા પૈકી મોટા ભાગના લોકોને સૂતી વખતે અથવા બેસતી વખતે નસ ચઢી જાય છે. કેટલાક લોકોને આ સમસ્યા વારંવાર થાય છે. લોકો નબળાઈને એનું કારણ માને છે.


આવું કેમ થાય છે: હિમોગ્લોબિનની ઊણપને કારણે.


ખોરાક દ્વારા સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો:


તમારા ડાયટમાં લીલાં શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો.


લંચ કે ડિનરમાં લીલાં શાકભાજી ખાવાં.


નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ સામેલ કરો.


3. હાડકાંમાંથી અવાજ આવે


કેટલાક લોકોને ચાલતી વખતે અથવા ઊઠતી વખતે હાડકાંમાંથી અવાજ સંભળાય છે. સામાન્ય કામ કરતી વખતે તેમનાં હાડકાંનો અવાજ સંભળાય છે.


આવું કેમ થાય છેઃ શરીરમાં કેલ્શિયમની ઊણપને કારણે.


આહાર દ્વારા સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો:


કેલ્શિયમની ઊણપને દૂર કરવા માટે દરરોજ નાસ્તામાં અથવા રાત્રે દૂધ પીવું.


લંચ અને ડિનરમાં લીલાં શાકભાજી ખાવાં.


મગફળી, બદામ, નારંગીનો રસ સામેલ કરો.


4. ઊંઘ્યા પછી અથવા બેઠા પછી કે ઊઠ્યા પછી ચક્કર આવે છે


ઘણી વખત જ્યારે તમે ઊંઘ્યા પછી અથવા બેઠા થયા પછી જાગી જાઓ છો ત્યારે તમને ચક્કર આવવા લાગે છે અને તમારી આંખો સામે અંધકાર છવાઈ જાય છે.


આવું કેમ થાય છેઃ શરીરમાં આયર્ન, વિટામિન B12 અને પાણીની ઊણપને કારણે.


ખોરાક દ્વારા સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો:


લંચ અને ડિનરમાં આખા અનાજ અને લીલાં શાકભાજીનો સમાવેશ કરો.


આયર્નની ઊણપને દૂર કરવા માટે પાલક અને બીટ ખાઓ.


દરરોજ 3 થી 4 લિટર પાણી પીવું.


5. પેટ સાફ નથી થતું, કબજિયાત રહે છે


પેટમાં કબજિયાતને કારણે ટોઇલેટમાં તકલીફ થાય છે અને પેટ સમયસર સાફ નથી થતું. આજકાલ દરેક ઉંમરના લોકો કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


આવું કેમ થાય છેઃ ખોરાકમાં ફાઈબર, મિનરલ્સ અને પાણીની ઊણપને કારણે.


આહાર દ્વારા સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવવો:


ઘઉં, બ્રાઉન રાઈસ જેવાં આખાં અનાજ ખાઓ.


ભોજન સાથે સલાડ, ફળો, મગફળી, ઘીનો સમાવેશ કરો.


દરરોજ 3-4 લિટર પાણી પીવું.


લોટ અને ફાસ્ટ ફૂડ ટાળો.

Share This Article