ચેહરા પર લીંબુ લગાડવાથી શું થાય છે? સ્કિન એક્સપર્ટે આપ્યો ડરાવનારો જવાબ, જાણો શું રહ્યું
ઘણા લોકો ડાઘ અને ખીલ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરે છે. આ સૌથી વધુ અજમાવેલ ઘરેલું ઉપાય પણ છે. પરંતુ ત્વચા માટે લીંબુના ફાયદાઓ પર હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન રહે છે. લીંબુ એસિડિક હોય છે, જે ત્વચા પર લગાવવાથી નુકસાન થઈ શકે છે. તાજેતરમાં ડો. આંચલ પંથે પણ લીંબુની આડઅસરો વિશે માહિતી આપી છે.
ઘણા લોકો ડાઘ અને ખીલ દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરે છે. આ સૌથી વધુ અજમાવેલ ઘરેલું ઉપાય પણ છે. પરંતુ ત્વચા માટે લીંબુના ફાયદાઓ પર હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન રહે છે. તાજેતરમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદી સાથેના પોડકાસ્ટમાં ડર્માફોલિક્સ હેર ટ્રાન્સપ્લાન્ટ અને સ્કિન ક્લિનિકના ત્વચા વિશેષજ્ઞ ડો. આંચલ પંથે ત્વચા પર લીંબુ, નારંગીની છાલ અને સફરજનના સરકાનો ઉપયોગ કરવા પાછળની આડઅસરો વિશે વાત કરી, જેને સામાન્ય રીતે લોકો નોટિસ નથી કરી શકતા.
ચહેરા માટે શાપથી કમ નથી
નિષ્ણાતે વિનંતી કરી કે કૃપા કરીને તમારી ત્વચા પર લીંબુનો ઉપયોગ ન કરો. તે ખરેખર તમારી ત્વચાને સૂર્ય પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, લીંબુ, નારંગીની છાલ અને સફરજન સરકા ડાર્ક સર્કલ માટે સામાન્ય ઘરેલું ઉપચાર છે, પરંતુ વાસ્તવમાં તે ત્વચા માટે અભિશાપ છે.
કેમ ન લગાવવું જોઈએ સ્કિન પર લીંબુ?
નિષ્ણાતોનું માનીએ તો લીંબુમાં કુદરતી એસિડ હોય છે, સાથે જ તે પ્રકાશ સંશ્લેષક પણ હોય છે. આવી સ્થિતિમાં તેને લગાવવાથી ત્વચા સૂર્યની હાનિકારક અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે.
તો પછી ખીલ, ડાઘ અને ફોલ્લીઓ માટે કેવી રીતે અસરકારક?
ડો. આંચલ પંથ જણાવ્યું કે, લીંબુ એસિડિક હોવાથી ખીલ પર રહેલા બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. પરંતુ તે ત્વચાને ફાયદા કરતા નુકસાન વધુ પહોંચાડે છે. તે ત્વચાને એક્સફોલિએટ કરવામાં અને તેને થોડા સમય માટે ચમકતો દેખાવ આપવામાં પણ મદદ કરે છે. તે બ્લીચિંગ અસરનું કારણ બને છે પરંતુ તે લાંબા સમય સુધી ત્વચા પરના કાળા ડાઘને પણ ઝાંખા પાડે છે.
સ્કિન કેન્સરનું પણ વધી શકે છે રિસ્ક
નિષ્ણાતના જણાવ્યા અનુસાર લીંબુ લગાવવાથી ત્વચા સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે. આવી સ્થિતિમાં તે સ્કિન કેન્સરના જોખમને પણ આમંત્રણ આપી શકે છે.

