રાજકોટમાં 150 કરોડના ખર્ચે બ્રિજ બનશે

Reena Brahmbhatt
1 Min Read

રાજકોટઃ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેર મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં આઠ અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે. ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે.

નવ જેટલા બ્રિજનું થશે નિર્માણ:
ગુજરાત સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે. વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 11માં નવા રીંગ રોડ પર 42.26 કરોડના ખર્ચે ત્રણ બ્રિજ, રંગોલી પાર્ક નજીક 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે 5.53 કરોડના ખર્ચે એક બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી વચ્ચે 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.

- Advertisement -
Share This Article