દિલ્હી ચૂંટણી: AAPની બીજી યાદી જાહેર, જંગપુરાથી સિસોદિયા અને પટપરગંજથી અવધ ઓઝાને ટિકિટ;

Reena Brahmbhatt
3 Min Read

દિલ્હી ચૂંટણી: AAPની બીજી યાદી જાહેર, જંગપુરાથી સિસોદિયા અને પટપરગંજથી અવધ ઓઝાને ટિકિટ;

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મનીષ સિસોદિયાની બેઠક પણ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ સોમવારે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાની બેઠક પણ જાહેર કરવામાં આવી છે. આ વખતે પણ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અત્યાર સુધી પટપરગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમની બેઠક બદલીને પાર્ટીએ તેમને જંગપુરા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ થોડા દિવસો પહેલા 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વખતે પ્રથમ યાદીની સરખામણીમાં વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

AAPની બીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ

પટપરગંજ સીટ પરથી અવધ ઓઝાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સિસોદિયા સિવાય AAPએ મુસ્તફાબાદથી આદિલ અહેમદ ખાનને ટિકિટ આપી છે. જ્યારે રાખી બિરલાનને માદીપુર બેઠક પરથી, પ્રવીણ કુમારને જનકપુરીથી, પદ્મશ્રી જીતેન્દ્ર સિંહ શાંતિને શાહદરાથી, નવીન ચૌધરીને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે સીટીંગ ધારાસભ્ય હાજી યુનુસની ટીકીટ રદ કરવામાં આવી છે.

- Advertisement -

કેજરીવાલના ઘરે PACની બેઠક
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને દુર્ગેશ પાઠક સોમવારે મીટિંગ માટે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક માટે કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા.

પ્રથમ યાદીમાં 3 ધારાસભ્યોની ટિકિટ કપાઈ
કેજરીવાલના ઘરે સવારે સાડા અગિયાર વાગ્યે આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં ચૂંટણી લડી રહેલા અનેક મોટા ચહેરાઓના નામો પર ચર્ચા થવાની શક્યતા છે. અનેક મોટા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ગયા મહિને, 21 નવેમ્બરે આમ આદમી પાર્ટીએ તેની પ્રથમ યાદીમાં 11 લોકોને ટિકિટ આપી હતી, જેમાં 3 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી. ઉપરાંત, તાજેતરમાં જ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસમાંથી AAPમાં આવેલા 6 નેતાઓને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપના 3 નેતાઓને ટિકિટ મળી છે
પ્રથમ યાદીમાં મોટા નામોમાં પૂર્વ ધારાસભ્ય બ્રહ્મ સિંહ તંવર, બીબી ત્યાગી અને અનિલ ઝાના નામ સામેલ છે. ત્રણેય તાજેતરમાં જ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સિવાય વીર સિંહ ધીંગાન, સુમેશ શૌકીન અને ઝુબેર ચૌધરીને પણ ટિકિટ આપવામાં આવી છે. આ ત્રણેય પહેલા કોંગ્રેસમાં હતા, બાદમાં તેઓ AAPમાં જોડાયા હતા.

બ્રહ્મ સિંહને છતરપુર સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે બીબી ત્યાગી લક્ષ્મી નગર સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે. ગત ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. એ જ રીતે, મટિયાલા બેઠક પરથી, AAPએ વર્તમાન ધારાસભ્ય ગુલાબ સિંહની ટિકિટ રદ કરી છે અને તેમના સ્થાને પૂર્વ ધારાસભ્ય સુમેશ શૌકીનને તક આપી છે, જેઓ કોંગ્રેસમાંથી પાર્ટીમાં જોડાયા છે.

Share This Article