નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અધિકારીઓ અસરગ્રસ્ત તમામ લોકોને મદદ પૂરી પાડી રહ્યા છે.
‘X’ પરની એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું: “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ (જેવી પરિસ્થિતિ)થી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”
તેમણે કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિથી પ્રભાવિત દરેકને મદદ કરી રહ્યા છે.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પ્લેટફોર્મ નંબર ૧૪ અને ૧૫ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૫ લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને કેટલાકના મોતની આશંકા છે.

