India Bangladesh Diplomatic Meeting: બાંગ્લાદેશના વિદેશ મંત્રીની જયશંકર સાથે મહત્વની બેઠક, શું વિઝા અને ઉર્જા સંકટ પર આવશે કોઈ મોટો ઉકેલ?

Arati Parmar
2 Min Read

India Bangladesh Diplomatic Meeting: પડોશી દેશ બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં એક હકારાત્મક દિશા દેખાઈ રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન 7-10 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. બુધવારે ખલીલુર રહેમાન દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આ પછી તેમનો વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ છે.

રહેમાનની આગેવાનીમાં થઈ રહેલો આ પ્રવાસ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સરકાર આવ્યા બાદનો પ્રથમ હાઈ પ્રોફાઈલ પ્રવાસ છે. ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ ઢાકા પર કાબિજ રહેલા યુનુસ વહીવટીતંત્રના ભારત સાથે બહુ સારા સંબંધો રહ્યા નથી. બાંગ્લાદેશી પ્રતિનિધિમંડળે નવી દિલ્હી પછી મોરેશિયસમાં બે દિવસીય ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં પણ ભાગ લેવાનો છે.

- Advertisement -

વિઝા, જળ વહેંચણી… અનેક મુદ્દાઓ પર ચર્ચા શક્ય

રહેમાનના પ્રવાસને દિલ્હી અને ઢાકા બંને તરફથી નવા છેડેથી રાજકીય જોડાણ (એન્ગેજમેન્ટ) કરવાની દિશામાં એક કડી તરીકે જોવામાં આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં અસ્થિર પરિસ્થિતિના પગલે બાંગ્લાદેશની નવી સરકાર સામે સુરક્ષાની ચિંતાઓ રહેલી છે.

  • તાજેતરમાં જ ભારતે હજારો મેટ્રિક ટન ડીઝલ બાંગ્લાદેશ મોકલ્યું છે.

  • આ સિવાય પણ ભારત સરકારને બાંગ્લાદેશ તરફથી ઉર્જા પુરવઠાને લગતી બીજી વિનંતીઓ પણ મળી છે.

  • બાંગ્લાદેશ તરફથી વિઝા સેવાઓના મામલાને પણ ઉઠાવવામાં આવી શકે છે.

  • જળ વહેંચણી સહિત અન્ય જટિલ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

Share This Article