નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધનઃ AIIMS દિલ્હી

Reena Brahmbhatt
0 Min Read

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.

AIIMSએ જણાવ્યું હતું કે 92 વર્ષીય સિંહને આજે સાંજે “અચાનક બેહોશ” થયા બાદ ગંભીર હાલતમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા.

- Advertisement -

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીએ ગુરુવારે રાત્રે આ માહિતી આપી.

Share This Article