Pahalgam Terror Attack Investigation: પહલગામ હત્યાકાંડનું ષડયંત્ર અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ શક્ય હોય ત્યાં સુધી હુમલામાં સામેલ આતંકવાદીઓને જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે.
આ દરમિયાન NIA(NIA Investigating Pahalgam Terror Attack)ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.
જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.