Rahul Gandhi: શ્રીરામ પર રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ, BJPનો આરોપ; હિન્દુ વિરોધ છે કોંગ્રેસની ઓળખ

Arati Parmar
2 Min Read

Rahul Gandhi: કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવ્યા હતા. આ નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને રામ વિરોધી અને હિન્દુ વિરોધી કહીને તેમના પર આક્રમક પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, ‘હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં બધા સમુદાયોને સાથે લઈને ચાલતી ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે બનાવી શકાય?’ તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘ભગવાન રામ જેવા આપણા પૌરાણિક પાત્રો દયાળુ અને ક્ષમાશીલ હતા. હું ભાજપની વિચારધારાને હિન્દુત્વ નથી માનતો. મારા માટે અસલી હિન્દુ વિચારધારા બહુલતાવાદી, સહિષ્ણુ અને પ્રેમાળ છે.’

- Advertisement -
TAGGED:
Share This Article