Telangana Local Body Election Results: ‘વોટ ચોરી હવે ક્યાં ગઈ?’, તેલંગાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ BJPનો સવાલ

Arati Parmar
4 Min Read

Telangana Local Body Election Results: ૧૪ ફેબ્રુઆરીએ તેલંગાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાના બે દિવસ પછી પણ રાજ્યની રાજનીતિનો પારો ગરમાયેલો છે. કોંગ્રેસની જીત બાદ BJPએ કોંગ્રેસને સવાલ કર્યો છે કે હવે ‘વોટ ચોરી’નો મુદ્દો કેમ નથી ઉઠાવી રહ્યા, વોટ ચોરી ક્યાં ગઈ? જણાવી દઈએ કે આ ચૂંટણી ૧૨ ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને ચેરપર્સન, મેયર તથા તેમના ડેપ્યુટી પદો માટે મતદાન પ્રક્રિયા ૧૬ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવી હતી, જોકે રાજ્ય ચૂંટણી પંચે ૧૧ નગરપાલિકાઓમાં મતદાન સ્થગિત કરી દીધું હતું.

‘પસંદગીના આધારે હોબાળો મચાવે છે કોંગ્રેસ’

- Advertisement -

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં BJPએ પણ આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા રચના રેડ્ડીએ કોંગ્રેસ પર ‘રાજકીય દંભ’નો આરોપ લગાવતા કહ્યું કે તે કથિત વોટની હેરાફેરીના મુદ્દે પસંદગીના આધારે આક્રોશ વ્યક્ત કરે છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા અનેક રાજ્યોમાં હાર બાદ ‘વોટ ચોરી’ના આરોપો લગાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ‘જ્યારે તેઓ જીતે છે ત્યારે વોટ ચોરી નથી થતી, પરંતુ જ્યારે હારે છે ત્યારે સિસ્ટમ પર દોષારોપણ કરે છે.’ તેમણે એવો પણ દાવો કર્યો કે તેલંગાણાની કોંગ્રેસ સરકાર પોતાના સાત મુખ્ય વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે અને કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સીધી રીતે ફંડની ફાળવણી અને વિકાસ કાર્યો સાથે જોડાયેલી હોય છે.

કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન ચર્ચામાં

- Advertisement -

તમામ ટીકાઓ છતાં આંકડા કોંગ્રેસની મોટી જીત તરફ ઈશારો કરે છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓએ સમગ્ર રાજ્યમાં ૮૬ ચેરપર્સન અને મેયર પદો પર જીત નોંધાવી છે, જ્યારે ૮૪ ડેપ્યુટી પદ પણ તેમના ખાતામાં ગયા છે. BRS ને ૧૮ ચેરપર્સન અને ૧૪ ડેપ્યુટી પદ મળ્યા છે. BJP ને ૨ મેયર અથવા ચેરપર્સન પદ અને ૫ ડેપ્યુટી પદ પ્રાપ્ત થયા છે. અપક્ષ ઉમેદવારોએ ૪ ચેરપર્સન અને ૪ ડેપ્યુટી પદ જીત્યા છે. CPI એ ૧ મેયર પદ, AIFB એ ૧ ચેરપર્સન અને ૧ ડેપ્યુટી પદ, CPM એ ૧ ડેપ્યુટી ચેરપર્સન પદ અને AIMIM એ ૩ ડેપ્યુટી મેયર અથવા ઉપાધ્યક્ષ પદો પર જીત મેળવી છે.

મોટાભાગના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે BRS કરતા બહેતર પ્રદર્શન કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો, જ્યારે BJP માત્ર કરીમનગરમાં એક કોર્પોરેશન જીતવામાં સફળ રહી. આ પરિણામોને મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની રાજકીય પકડ મજબૂત થવા તરીકે જોવામાં આવી રહ્યા છે. ૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવ્યા બાદ તેમણે વિધાનસભા પેટાચૂંટણી, લોકસભા બેઠકો અને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે.

- Advertisement -

સીએમ રેડ્ડીની રાહુલ ગાંધી સાથેની મુલાકાત પણ ચર્ચામાં

રાજકીય ગલિયારાઓમાં મુખ્યમંત્રીની હાલની રાહુલ ગાંધી સાથેની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત બાદ ગયા અઠવાડિયે રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, જેને રાજ્ય અને કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય તાલમેલના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે, મુખ્યમંત્રીનું ફોકસ રાષ્ટ્રીય મંચ તરફ પણ વધતું દેખાઈ રહ્યું છે. રેવંત રેડ્ડી આગામી બે દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં રહેશે, જ્યાં તેઓ ઈન્ડિયા AI સમિટમાં ભાગ લેશે. તેમની હાજરીને તેલંગાણાને ઉભરતા AI અને ટેક ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.

Share This Article