Udhayanidhi Stalin Arrest: તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કષગમ (દ્રમુક) યુથ વિંગના પ્રમુખ ઉદયનિધિ સ્ટાલિનની મંગળવારે (4 ઓગસ્ટ) પોલીસે ધરપકડ કરી છે.
ધ હિંદુના અહેવાલ મુજબ, આ ધરપકડ સત્તાધારી તમિલગા વેટ્રી કષગમ (ટીવીકે)ના એક પદાધિકારીની ફરિયાદના આધારે કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉદયનિધિએ એક દિવસ પહેલાં તંજાવુરમાં આયોજિત જાહેર સભા દરમિયાન મહિલાઓ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે તેમણે પોતાના ભાષણ દરમિયાન એક મહિલાની તરફ ઈશારો કરતાં અશ્લીલ અને દ્વિઅર્થવાળી ટિપ્પણીઓ કરી હતી, જેને લઈને તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
ફરિયાદના આધારે તંજાવુર ઈસ્ટ પોલીસે ઉદયનિધિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 192, 352, 79, 296(બી), 61, 351(2), તેમજ તમિલનાડુ મહિલાઓના ઉત્પીડન પ્રતિબંધ અધિનિયમ (ટીએનપીએચડબ્લ્યુ એક્ટ)ની કલમ 4 અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે પૂર્વી તંજાવુર પોલીસની એક ટીમ, જેને ગ્રેટર ચેન્નઈ પોલીસનો સહયોગ પ્રાપ્ત હતો, ઉદયનિધિની ધરપકડ કરવા માટે ચેન્નઈના નીલાંગરાઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારબાદ ત્યાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. મોટી સંખ્યામાં દ્રમુકના કાર્યકરો તેમના ઘરની બહાર એકત્ર થયા હતા અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ અને ઉદયનિધિની પત્ની કૃતિકા ઉદયનિધિ પણ પોલીસ અધિકારીઓ સાથે દલીલ કરતાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટ ઉદયનિધિ સ્ટાલિનની આગોતરા જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગયું છે. આ મામલે મંગળવારે બપોર બાદ સુનાવણી થવાની સંભાવના છે. પોલીસ તેમને તંજાવુર લઈ જઈ શકે છે.
બીજી તરફ, ઉદયનિધિની કથિત ટિપ્પણીને લઈને વિપક્ષના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે.
நேற்று வைகை ஆற்றை சுத்தம் செய்தபோது, “இதைவிட மோசமான மாசு இருக்க முடியுமா?” என்று தோன்றியது.
பிறகு திரு. உதயநிதி ஸ்டாலின் அவர்களின் பேச்சைக் கேட்டேன்…
— K.Annamalai (@annamalai_k) August 4, 2026
ભાજપ છોડી ચૂકેલા અન્નામલાઈએ જણાવ્યું, ‘જ્યારે હું ગઈકાલે વૈગઈ નદીની સફાઈ કરી રહ્યો હતો, ત્યારે મેં વિચાર્યું કે શું આથી પણ વધુ ગંદકી હોઈ શકે? પછી મેં ઉદયનિધિ સ્ટાલિનનું ભાષણ સાંભળ્યું.’
Heard #Udhayanidhi Stalin’s speech. It was crass, cheap and deeply derogatory; reflecting the very political culture he seems eager to inherit.
If those with such a mindset aspire to lead a political party and one day govern the state, then God help us. What else can one expect…
— KhushbuSundar (@khushsundar) August 4, 2026
તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ ખુશબૂ સુંદરએ જણાવ્યું, ‘મેં ઉદયનિધિ સ્ટાલિનનું ભાષણ સાંભળ્યું. તે અત્યંત નીચ સ્તરનું અને અપમાનજનક હતું. તેમાંથી એ જ રાજકીય વિચારધારા ઝળકે છે, જેને તેઓ આગળ વધારવા માંગે છે. જો આવી વિચારસરણી ધરાવતા લોકો કોઈ રાજકીય પક્ષનું નેતૃત્વ કરવા માંગતા હોય અને એક દિવસ રાજ્ય ચલાવવા માંગતા હોય, તો ભગવાન જ બચાવે.’

