Pitru Paksha signs of ancestors happiness: આ વખતે પિતૃ પક્ષની શરુઆત 7 સપ્ટેમ્બરથી થઈ છે. જે 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી. કારણ કે આ સમયગાળા દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે. ત્યારે આ સમય સંપૂર્ણપણે પૂર્વજોની શાંતિ અને તેમની મુક્તિ માટે સમર્પિત હોય છે. એવું કહેવાય છે કે, જો પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો તેઓ તેમના વંશજો પર નારાજ થાય છે. પૂર્વજો નારાજ થવાને કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે પૂર્વજો ખુશ હોય ત્યારે જોવા મળે છે. જો તમને પણ પિતૃ પક્ષ દરમિયાન આ પ્રકારના સંકેતો વારંવાર મળવા લાગે છે, તો ભૂલથી પણ તેમને અવગણશો નહીં. ચાલો તમને જણાવીએ કે પૂર્વજો ખુશ હોય ત્યારે કયા સંકેતો જોવા મળે છે.
પૂર્વજો પ્રસન્ન હોવાના સંકેતો
જ્યારે પૂર્વજો તમારાથી પ્રસન્ન હોય ત્યારે પિતૃ પક્ષમાં ઘણા સંકેતો જોવા મળે છે, જેમાં ઘરમાં ગાય અને કાગડાનું આવવું, સુકાઈ ગયેલા છોડ ખીલવા, સપનામાં પૂર્વજોને ખુશ જોવા અને સફેદ ફૂલો કે પીંછા મળવાનો સમાવેશ થાય છે.
ઘરમાં પ્રાણીઓનું આવવું:-
પિતૃ પક્ષ દરમિયાન ઘરના દરવાજા પર કાળી ગાયનું આગમન થવુ અથવા ઘરમાં કાગડો આવવો શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે. ઘરમાં કાળી કીડીઓનું આવવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.
છોડ ખીલવા:-
જો તમારા ઘરમાં સુકાઈ ગયેલા છોડ પિતૃ પક્ષ દરમિયાન અચાનક ખીલે અથવા લીલા થઈ જાય, તો તે પૂર્વજોની પ્રસન્ન હોવાનો સંકેત માનવામાં આવે છે.
સ્વપ્નમાં પૂર્વજોને જોવું:-
જો તમે પિતૃ પક્ષ દરમિયાન તમારા સ્વપ્નમાં તમારા પૂર્વજોને ખુશ જુઓ અથવા તેઓ તમારી સાથે વાત કરતા જુઓ તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે.
સફેદ ફૂલ કે પીંછા મળવા:-
પિતૃપક્ષ દરમિયાન અચાનક સફેદ ફૂલ કે પીંછા મળવા એ પૂર્વજોના આશીર્વાદનો સંકેત છે. આવામાં તમારે તે ફૂલ કે પીંછા ઉપાડીને તમારી પાસે રાખવા જોઈએ.
જરૂરિયાતમંદોનું આવવું:-
પિતૃપક્ષ દરમિયાન કોઈ જરૂરિયાતમંદ કે સંત તમારા ઘરે આવીને ખોરાક કે દાન માંગે તે પણ પૂર્વજોના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. આવામાં જો કોઈ સંત તમારા ઘરે ખોરાક કે દાન માંગે છે, તો તેને ખાલી હાથે પાછા ન મોકલો.
બાકી રહેલા કામ પૂર્ણ થવા:-
આવકમાં અચાનક વધારો થવો અથવા અટકેલા પૈસા પાછા મળવા એ પૂર્વજોની ખુશીનો સંકેત છે. જો તમારા લાંબા સમયથી બાકી રહેલા કામ કોઈપણ પ્રયત્નો વિના પૂર્ણ થવા લાગે છે, તો સમજો કે તમારા પૂર્વજોએ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવ્યા છે.

