ભારતમાં આવતીકાલે ઉજવવામાં આવશે બકરીઈદનો તહેવાર, જાણો કેમ બકરીની બલિ

Reena Brahmbhatt
2 Min Read

આવતીકાલે એટલે કે સોમવારે 17 જૂનને સોમવારના રોજ દેશભરમાં ઈદ અલ-અઝહા એટલે કે બકરીઈદનો તહેવાર ઉજવવામાં આવશે. આ અવસરે ઈદગાહ કે મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવે છે અને બકરીઓની પણ બલિ ચઢાવવામાં આવે છે.ઈદ-ઉલ-અઝહા, જેને બકરીઈદ પણ કહેવામાં આવે છે, તે વિશ્વભરના મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતો બીજો મોટો ઇસ્લામિક તહેવાર છે અને તેને અલ્લાહ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ સાથે પયગંબર ઇબ્રાહિમ દ્વારા આપવામાં આવેલા બલિદાન તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરનો બારમો મહિનો એવા જૂલાઇ અલ-હિજાહ મહિનામાં વિશ્વભરના મુસ્લિમો દ્વારા બકરીઇદની ઉજવણી કરવામાં આવે છે.ઈદ-ઉલ-અઝહા જુલાઈ હિજાહ મહિનાની દસમી તારીખે ઉજવવામાં આવે છે અને ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ-અલગ હોય છે, જેનો આધાર મહિનાની શરૂઆત ક્યારે અર્ધચંદ્ર દેખાશે તેના પર રહેલો છે. 06 જૂન, 2024 ના રોજ અર્ધચંદ્રાકાર જુઉલ હિજ્જા ચંદ્રના દર્શન પછી, રવિવાર 16 જુલાઈ, 2024 ના રોજ અરેબિયામાં બકરીઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં ઈદ-ઉલ-અઝહા એક દિવસ બાદ એટલે કે 17 જૂન 2024ના રોજ મનાવવામાં આવશે.
Bakra Eid Bakra Mandi In Karachi Pakistan 312 7259

ઈદ-ઉલ-અઝહા ઇબ્રાહિમ અને ઇસ્માઇલના અલ્લાહ પ્રત્યેના પ્રેમની ઉજવણી છે અને કુરબાનીનો અર્થ એ છે કે કોઈ પણ અલ્લાહ માટે બલિદાન આપવા તૈયાર છે. વ્યક્તિ જેને સૌથી વધુ ચાહે છે તેના માટે તે ભગવાન માટે બલિદાન છે. જેના માટે દુનિયાભરના મુસ્લિમો બલિદાનની ભાવનામાં બકરી કે ઘેટાની બલિ આપે છે. એવું માનવામાં આવે છે કે ભલે અલ્લાહ સુધી માંસ કે લોહી પહોંચતું નથી, પરંતુ તેના ગુલામોની ભક્તિ ચોક્કસપણે પહોંચે છે.કુરાન મુજબ કહેવાય છે કે એકવાર અલ્લાહ હજરત ઈબ્રાહિમની કસોટી કરવા માંગતા હતા. તેણે હઝરત ઇબ્રાહિમને તેની સૌથી પ્રિય વસ્તુનો ભોગ આપવાનો આદેશ આપ્યો. હઝરત ઇબ્રાહીમ પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલને સૌથી વધુ પ્રેમ કરતો હતો. અલ્લાહના આદેશ બાદ હઝરત ઈબ્રાહીમે પોતાના પુત્રની બલિ ચડાવી દીધી.

- Advertisement -
Share This Article