રાજકોટ ગેમ ઝોન અકસ્માત: ઓપરેટર, મેનેજર સહિત 4 લોકોની ધરપકડ

Reena Brahmbhatt
3 Min Read

સરકારે ઘાયલોને 4 લાખ, 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક બે ડઝન પર પહોંચ્યો છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થાય છે. ગેમ ઝોનમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે. 5 વર્ષ પહેલા સુરતમાં થયેલ તક્ષશિલા આગ દુર્ઘટના કરતા પણ આ મોટી દુર્ઘટના છે. કલેક્ટર આનંદ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટનાસ્થળે હાજર છે. અત્યાર સુધીમાં 24 મૃતદેહો હોસ્પિટલ પહોંચ્યા છે. પોલીસે આ કેસમાં ગેમ ઝોનના ઓપરેટર અને મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

- Advertisement -

IMG 20220220 201835 scaled 1

ફાયર બ્રિગેડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે સયાજીની પાછળના ટીઆરપી મોલમાં આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદર ઝડપથી સળગતી વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગમાં ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આગનું ગંભીર સ્વરૂપ જોઈને ફાયર કોલ જાહેર કરાયો હતો. 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ ઓલવવામાં સફળતા મળી હતી પરંતુ ટીન શેડના કારણે ફાયર બ્રિગેડના જવાનોને અંદર જવામાં મુશ્કેલી પડી રહી હતી. મોડી સાંજે એક પછી એક મૃતદેહો બહાર આવવા લાગ્યા હતા. કાટમાળમાંથી 24 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઘણા લોકો હજુ પણ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે.

- Advertisement -

વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં આગની ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.

- Advertisement -

એનઓસી વગર ગેમ ઝોન ચાલતો હતો

બીજી તરફ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગ પાછળ અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. રાજકોટ જેવા મોટા શહેરમાં ઘણા સમયથી ચાલતી ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર અને મહાનગર પાલિકા ગુનેગારોને બિલકુલ છોડશે નહીં. મેયરે કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અંગે તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે.

Share This Article