PF UPI Withdrawal: પીએફ ઉપાડવું હવે ચપટી વગાડવાનું કામ: ૧ એપ્રિલથી UPI દ્વારા સીધા ખાતામાં આવશે પૈસા, EPFO ની આ નવી સિસ્ટમથી કરોડો નોકરિયાતોને થશે મોટો ફાયદો

Arati Parmar
3 Min Read

PF UPI Withdrawal: જો તમે નોકરી કરો છો અને તમારો પીએફ (PF) કપાય છે, તો આ સમાચાર ધ્યાનથી વાંચી લેજો. હવે તમારી રોજિંદી જરૂરિયાતોને લઈને મોટું અપડેટ આવ્યું છે. તમામ પીએફ ખાતાધારકો જરૂર પડ્યે પીએફ ઉપાડી શકે છે, પરંતુ આ પ્રોસેસ સમય લેનારી (Time Consuming) હોય છે. પરંતુ હવે પીએફના પૈસા ઉપાડવા એટલા જ સરળ બનવાના છે જેટલું UPI થી કોઈને પૈસા મોકલવા.

EPFO એક નવી વ્યવસ્થા લાવવા જઈ રહ્યું છે જેના હેઠળ કર્મચારીઓ પોતાના પીએફ ખાતામાંથી રકમ સીધી UPI દ્વારા ઉપાડી શકશે. ૧ એપ્રિલ ૨૦૨૬ થી આ સુવિધા શરૂ થવાની આશા છે. આનાથી કરોડો કર્મચારીઓને ઇમરજન્સીના સમયે તરત જ ફંડ મળવાનો રસ્તો સાફ થઈ જશે અને પીએફ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં એક નવું કદમ રાખશે.

- Advertisement -

UPI થી કેવી રીતે નીકળશે પીએફના પૈસા?

EPFO તરફથી શરૂ કરવામાં આવનારી આ નવી વ્યવસ્થામાં પીએફ ઉપાડવાની રીત ઘણી ખરી મોબાઈલ બેંકિંગ જેવી હશે. ખાતાધારક લોગિન કરીને એ જોઈ શકશે કે તેમના ખાતામાં કેટલી રકમ હાજર છે અને તેમાંથી કેટલા પૈસા ઉપાડી શકાય તેમ છે. ત્યારબાદ તેઓ UPI ઓપ્શન પસંદ કરશે અને પોતાના UPI પિન દ્વારા રિક્વેસ્ટ કન્ફર્મ કરશે.

- Advertisement -

જેવું વેરિફિકેશન પૂરું થશે, પૈસા સીધા લિંક થયેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આમાં મહત્વની વાત એ છે કે આ પ્રોસેસ માટે કોઈ ચેક, ફોર્મ કે ઓફલાઈન ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિક્વેસ્ટ અપ્રૂવ થયા પછી થોડા જ સમયમાં રકમ ખાતામાં જમા થઈ જશે.

તૈયારીઓ અંતિમ તબક્કામાં

- Advertisement -

EPFO આ ફેરફાર માટે પોતાની ટેકનિકલ સિસ્ટમને નવેસરથી તૈયાર કરી રહ્યું છે. હાલના સોફ્ટવેરને UPI પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી રહ્યું છે જેથી ટ્રાન્ઝેક્શન ઝડપી, સુરક્ષિત અને અવરોધ વિના થઈ શકે. શ્રમ મંત્રાલય આ આખા પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યું છે, જેથી દેશભરમાં આને લાગુ કરતા પહેલા તમામ ટેકનિકલ ખામીઓને દૂર કરી શકાય. ડેટા સુરક્ષા, ફ્રોડ કંટ્રોલ અને રિયલ-ટાઇમ અપડેટ જેવા ફીચર્સ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું માનવું છે કે આ સુવિધા શરૂ થયા પછી પીએફ સંબંધિત ફરિયાદો ઓછી થશે.

ટૂંક સમયમાં આવશે સત્તાવાર જાણકારી

આ નવી સુવિધાને લઈને સત્તાવાર જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવી શકે છે. સંબંધિત મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નોટિફિકેશન આવતાની સાથે જ તેની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડલાઈન પણ જાહેર થશે જેથી દરેક ખાતાધારક સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. આ ફેરફાર ખાસ કરીને તે કર્મચારીઓ માટે રાહતરૂપ હશે જેમને અચાનક પૈસાની જરૂર પડે છે. હવે તેમને ઘણા દિવસો સુધી રાહ જોવી પડશે નહીં.

Share This Article