Kedarnath Yatra Disappointment Video: આ વાતનો બિલકુલ ઇનકાર કરી શકાય તેમ નથી કે લોકોને મંદિરમાં થતા VIP અને સ્પેશિયલ દર્શનથી હવે તકલીફ થવા લાગી છે. કેદારનાથ ધામ સુધી પગપાળા ચાલીને જવું બિલકુલ પણ સરળ બાબત નથી. એવામાં જો કોઈ પદયાત્રી પગપાળા ઉપર સુધી પહોંચે છે, તો બાબાના સારી રીતે દર્શન કરવા એ જ તેનું એકમાત્ર સપનું હોય છે. પરંતુ Internet પર Viral થયેલા Video માં એક મહિલાએ પોતાનો એક ખરાબ અનુભવ Share કર્યો છે.
ન આવો કેદારનાથ!
આવની ખતાના જણાવે છે કે ‘છેલ્લા એક મહિનાથી તે કેદારનાથ આવવાની તૈયારી કરી રહી હતી, ૪ દિવસથી ઘરથી નીકળેલી છે, ૨ દિવસથી Traffic માં ફસાયેલી છે. ૪-૫ મિનિટનો રસ્તો તેમણે ૪-૫ કલાકમાં પાર કર્યો છે. ત્યારપછી માંડ તે કેદારનાથ પહોંચી શકી છે. આવની જણાવે છે કે તે ૨૨-૨૩ કિલોમીટર પગપાળા ચાલીને આવી છે. જેમાં એટલું જોખમ (Risk) હતું કે ઘોડા ચાલી રહ્યા છે, ખચ્ચર ચાલી રહ્યા છે. પડવાનું ખૂબ મોટું જોખમ (Risk) હતું. પરંતુ અહીં (કેદારનાથમાં) કંઈ નથી.’
પગપાળા આવ્યા છો, તો દર્શનની આશા ન રાખતા!
આવની કહે છે કે ‘અહીં કોઈ ન આવતા, નકામો તમારો Time West કરશો, પૈસા બગાડશો અને મળવાનું કંઈ નથી. દર્શન પણ સરખી રીતે થવાના નથી. અહીં શું થઈ રહ્યું છે, બસ પૈસા લેશે, કાં તો તમે VIP દર્શન કરો અથવા Helicopter થી યાત્રા કરો. જો તમે પગપાળા યાત્રા કરીને આવી રહ્યા છો, તો દર્શનની આશા ન રાખતા.’ મહિલા રડતા-રડતા જણાવે છે કે ‘આજે પણ અમે દર્શન કર્યા વગર પાછા જઈ રહ્યા છીએ, બસ ગેટ પરથી જ.’
View this post on Instagram
કહેતા-કહેતા ભાંગી પડી આવની
આવની પોતાની વાત કહેતા-કહેતા ભાવુક થઈ રહી હતી. કારણ કે કેટલાય લોકો માટે કેદારનાથની યાત્રા કરવી એ ‘Once in a Lifetime’ Moment હોય છે. જો તે પણ પૂરી ન થઈ શકે, તો દુઃખદ હોય છે. એવામાં તેનું આ દુઃખ બિલકુલ વ્યાજબી છે. ભોલે બાબાના ભક્તોને મહેનતથી ઉપર પહોંચવા પર દર્શન ચોક્કસ મળવા જોઈએ. એવું Internet ની જનતાનું પણ માનવું છે. તેના આ Video ને ૬ લાખથી વધુ Likes મળી ચૂક્યા છે. જ્યારે તેના આ Video ને અત્યાર સુધી કરોડો વાર જોવામાં આવી ચૂક્યો છે. વળી Post પર ૨૧ હજારની આસપાસ Comments પણ આવી છે.
અમે સહમત છીએ!
Post નું Comment Section જનતાના અલગ-અલગ પ્રતિભાવોથી ભરેલું છે. જ્યાં એક તરફ Users આવની સાથે સહમતી દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ લોકોનું એવું પણ કહેવું છે કે ‘તમે જ્યારે આટલી મહેનત કરી, તો એક રાત રોકાઈને દર્શન કરીને જ આવતી.’ જ્યારે બીજી તરફ લોકોનું કહેવું છે કે આવનીએ પોતાનો જે અનુભવ જણાવ્યો છે, તેઓ તેનાથી સહમત છે.

