રાજકોટ: ઘરેલુ ઝઘડાથી કંટાળીને ડોક્ટરે દવાનો ઓવરડોઝ પીને જીવનનો અંત આણ્યો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

ડોક્ટરે આવું પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસ કરી રહી છે.

રાજકોટની સિનર્જી હોસ્પિટલના એક ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એવું સામે આવ્યું છે કે ડોક્ટર છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અને ઘરેલુ ઝઘડાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા ડોક્ટરે એક સુસાઇડ નોટ લખી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પોલીસ તપાસ કરી રહી છે કે ડોક્ટરે આવું પગલું કેમ ભર્યું.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક પાસે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડો. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી, કેસ નોંધીને તપાસ શરૂ કરી.

ડૉ. જય પટેલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘પહેલા મારા સાળાને આ ઘટના વિશે જણાવો, મારા માતા-પિતાને નહીં.’ પોલીસને સુસાઈડ નોટ મળી ગઈ છે અને ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. જય પટેલનો તેમની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ઘરેલુ ઝઘડાને કારણે ડૉક્ટરે આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસે ડૉક્ટરની આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
Share This Article