Supreme Court: રોમાન્સ ખતમ કે બ્રેકઅપનો અર્થ દુષ્કર્મ નહીં – સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Supreme Court: લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના નામે નોંધાતા દુષ્કર્મના કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સંબંધમાં રહેવું ગુનો બની ગયું છે.’

સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ

- Advertisement -

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે, ‘પ્રેમ સંબંધનો અંત કે બ્રેકઅપનો અર્થ એ નથી કે કેસ દુષ્કર્મ બની જાય. સમાજમાં હવે મૂલ્યો જે રીતે બદલાઈ રહ્યા છે. આપણે સમજવું પડશે કે સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ.’ નોધનિય છે કે, દુષ્કર્મના કેસને રદ કરવા માટે અરજી કરનાર વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી.

Share This Article