Cough Syrup Prescription Mandatory: કફ સિરપ માટે ડૉક્ટરની પર્ચી ફરજિયાત? બાળકોના મૃત્યુના મામલા બાદ સરકાર કડક નિયમ લાવવાની તૈયારીમાં!

Arati Parmar
4 Min Read
Cough Syrup Prescription Mandatory: ખાંસીની કફ સિરપને લઈને તમે ઘણીવાર તેના દુરુપયોગની ખબર સાંભળતા હશો. થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશમાં કફ સિરપના કારણે ઘણા બાળકોની મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. આવી ઘટનાઓને રોકવા માટે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ બનાવવાની વાત કરી રહી છે. આ નિયમ લાગુ થાય તો દવાખાનાઓમાં ડોક્ટરની પર્ચી વિના કફ સિરપ નહીં મળે. આથી સુરક્ષા તો વધશે, પરંતુ લોકોના ખિસ્સા પર ભાર પણ વધશે. કફ સિરપ ભલે સસ્તી કે મોંઘી હોય, પરંતુ તેને ખરીદવા માટે ડોક્ટરની પર્ચી લેવી જરૂરી હશે, જેના માટે ડોક્ટરને ફી પણ આપવી પડશે.
ડોક્ટરોની ફી 200થી 500 રૂપિયા સામાન્ય વાત છે. સ્પષ્ટ છે કે, નવો નિયમ લાગુ થયા પછી તમને 50 રૂપિયાની કફ સિરપને ખરીદવા માટે ઘણી વધુ રકમ ડોક્ટરની ફી તરીકે ખર્ચવી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દવા પરામર્શ સમિતિના રિપોર્ટની સમીક્ષા કરી રહી છે અને આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને કફ સિરપ માટે નવો નિયમ બનાવી શકે છે.

શું ફેરફાર થઈ શકે છે?

માનવામાં આવી રહ્યું છે કે, સમિતિએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે, કફ સિરપને ટૂંક સમયમાં તે દવાઓની યાદીમાંથી બહાર કરી શકાય છે, જે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કફ સિરપને લઈને થયેલી તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેના વેચાણ પર નજર રાખવી જરૂરી છે. હાલમાં કફ સિરપને શિડ્યૂલ Kમાં રાખવામાં આવી છે, જે ઓછા જોખમવાળી દવાઓની યાદી માનવામાં આવે છે. તેથી આવી દવાઓને લાયસન્સ લગર પણ વેચી શકાય છે. પરંતુ ટૂંક સમયમાં તેના વેચાણ સાથે જોડાયેલા નિયમો ખૂબ જ કડક થવાના છે.

3 બ્રાન્ડને સરકારએ કહ્યું ઝેરી

થોડા દિવસો પહેલા દૂષિત કફ સિરપ પીવાથી ઘણા બાળકોના મોત થયા હતા, ત્યારબાદ સરકારે 3 બ્રાન્ડની કફ સિરપને ઝેરી જાહેર કરી હતી. જોકે, બાળકોના મોતના મોટા ભાગના કેસ Coldrif સાથે જોડાયેલા હતા. સાથે જ સરકારે Respifresh TR અને ReLife જેવા કફ સિરપનો ઉપયોગ ન કરવા માટે પણ કહ્યું છે. આ દવાઓનું ન તો ઘરેલુ બજારમાં વેચાણ થશે અને ન તો તેનો નિકાસ થઈ શકશે.

કફ સિરપ કેમ ખતરનાક છે?

ઓવરડોઝનો ખતરો: કેટલાક કફ સિરપમાં કોડીન (Codeine), ડેક્સ્ટ્રોમેથોર્ફન અથવા પ્રોમેથાઝીન જેવા ઓપિઓઇડ દવાઓ હોય છે. તેની ઓવરડોઝથી શ્વાસ રોકાવો, કોમા અથવા મૃત્યુનો ખતરો હોય છે.
નશાની લત: કોડીન યુક્ત કફ સિરપ જેમ કે Corex, Phensedyl, Codistar નશા માટે ખૂબ ઉપયોગ થાય છે. લાંબા સમય સુધી ઉપયોગથી શારીરિક અને માનસિક લત લાગી જાય છે.
બાળકો માટે ખતરનાક: 12 વર્ષથી ઓછા બાળકોને કોડીન અથવા DXM વાળી કફ સિરપ બિલકુલ ન આપવી જોઈએ.
સાઇડ ઇફેક્ટ્સ: કફ સિરપથી ઘણીવાર ઊંઘ, ચક્કર, મોઢું સૂકાવું, ધૂંધળું દેખાવું, ધબકારા વધવા, એલર્જી જેવા સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે.
ભારતમાં કફ સિરપનું કેટલું મોટું બજાર છે?
ભારત દવાઓના ઉત્પાદન અને વપરાશના મામલામાં વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. હાલમાં કફ સિરપનું બજાર 26.25 કરોડ ડોલર (લગભગ 2,200 કરોડ રૂપિયા)નું છે. તેમાં વાર્ષિક 9.92 ટકા વૃદ્ધિ થઈ રહી છે, તેથી તે 2035 સુધીમાં 6,200 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. કફ સિરપ સિવાય ભારતમાં કોલ્ડ એન્ડ કફ રેમેડીઝનું બજાર હાલમાં લગભગ 11 હજાર કરોડ રૂપિયાનું છે, જે આગામી ચાર વર્ષમાં 8 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે 16 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.
Share This Article