Stock Market Today: ભારત-પાકિસ્તાન તણાવની શેરબજાર પર અસર, સેન્સેક્સ 1366 પોઈન્ટ તૂટ્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Stock Market Today: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા જિઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં અફરાતફરી વધી છે. સેન્સેક્સ નીચા મથાળે ખૂલ્યા બાદ 1366.47 પોઈન્ટ તૂટ્યો હતો. મોર્નિંગ સેશનમાં જ 1064 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. 10.41 વાગ્યે 793.82 પોઈન્ટના કડાકા સાથે 79540.99  પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉતાર-ચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા મિસાઈલ હુમલાઓ કરાતાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપતાં હવામાં જ તેની મિસાઈલ નિષ્ક્રિય બનાવી હતી.  વધી રહેલા જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ IndiA VIX 7 ટકા તૂટી 22.65ના સ્તરે પહોંચ્યો હતો.

- Advertisement -
Share This Article