ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ માં પીડીતોને ન્યાય અપાવવા ત્રણ દિવસના ઉપવાસ
પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ ની જાહેરાત

આજરોજ રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગેમ ઝોનના અગ્નિકાંડમાં મોતને ભેટેલા પરિવારોને ન્યાય અપાવવા માટે આગામી તારીખ 7 જૂન થી લડતનો પ્રારંભ કરવામાં આવશે.

