Gujarat Crime Conference: ગુજરાતના નવા સિંઘમ કોણ? DGP પદની રેસ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે પોલીસને આપ્યો નવો મંત્ર, જાણો શું છે સરકારનો પ્લાન

Arati Parmar
3 Min Read

Gujarat Crime Conference: ગુજરાતના નવા ડીજીપી (DGP) કોણ બનશે? કે.એલ.એન. રાવ કે પછી જી.એસ. મલિક, આ સવાલના જવાબ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓનો એજન્ડા સેટ કરી દીધો છે. ગાંધીનગરમાં બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ હોવો જોઈએ. લોકોનો પોલીસ પર ભરોસો નક્કર બને. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આનો મોટો શ્રેય ગુજરાત પોલીસને જાય છે. જેણે શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખ્યું. સીએમે કહ્યું કે ગુજરાત પોલીસ એઆઈ (AI) સહિત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ તથા સતર્ક પોલીસ બળ ગુનેગારો દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી થતા ગુનાઓ પર નિયંત્રણ માટે સક્ષમ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન તથા કોમ્યુનિટી આઉટરીચ સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.

બેસ્ટ પ્રેક્ટિસને સ્વીકારે અધિકારીઓ

હર્ષ સંઘવીએ કહ્યું કે જુનિયર આઈપીએસ અધિકારીઓથી લઈને સિનિયર આઈપીએસ અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા નવા વિષયો અને બેસ્ટ પ્રેક્ટિસીસને ઉદાર મનથી સ્વીકારો. આ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં જે શાંતિ અને સુરક્ષા છે, તેના પરિણામે આપણે વિકાસના રોલ મોડેલ રાજ્ય તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં ગ્લોબલ કંપનીઓ અને ઉદ્યોગો પણ રાજ્યની આ શાંતિ અને સુરક્ષાની સ્થિતિને કારણે જ વ્યાપાર-ઉદ્યોગ માટે ગુજરાતની પસંદગી કરે છે. તેમણે આનો શ્રેય રાજ્ય પોલીસની સતર્કતા, કર્તવ્યનિષ્ઠા મોટું કારણ છે એમ જણાવ્યું. મુખ્યમંત્રીએ અપેક્ષા વ્યક્ત કરી કે પોલીસ ડ્રગ્સના વ્યસનનો શિકાર બનેલા યુવાનોને સજાને બદલે પ્રેમથી સમજાવીને કાઉન્સેલિંગથી સાચા રસ્તે લાવવાની દિશામાં પણ કાર્યરત રહેશે અને બેઠકમાં આ સંબંધમાં ફળદાયી ચિંતન-મંથન થશે. ગાંધીનગરમાં આયોજિત રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશક સહિત અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક, રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષક ભાગ લઈ રહ્યા છે.

- Advertisement -

કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસે કહ્યું કે રાજ્યમાં આયોજિત થતી ક્રાઈમ કોન્ફરન્સનું ઘણું મહત્વ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આયોજિત થયેલી ડીજી-આઈજી કોન્ફરન્સમાં થયેલી ચર્ચાના મહત્વના મુદ્દાઓની જાણકારી ડાઉન ધ લાઈન ફીલ્ડ ઓફિસર સુધી પહોંચે, તે માટે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. આ ઉપરાંત; બોર્ડર સિક્યોરિટી, કોસ્ટલ સિક્યોરિટી, લો એન્ડ ઓર્ડર, ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન, ઇન્વેસ્ટિગેશન તથા ઓપરેશન સહિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે ક્લોઝ કો-ઓર્ડિનેશન માટે અત્યંત મહત્વપૂર્ણ આ બે દિવસીય રાજ્ય સ્તરીય કોન્ફરન્સમાં તમામ શહેર, રેન્જના વિવિધ જિલ્લાઓ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસીસના સંબંધમાં પ્રેઝન્ટેશન સાથે જરૂરી ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડો. કે.એલ.એન. રાવ, જી.એસ. મલિક, ડો. નીરજા ગોટરૂ સહિત ડીજીપી રેન્કના અધિકારીઓ, એડીજીપી, આઈજીપી, ડીઆઈજી તથા એસપી રેન્કના આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article