Kalupur Swaminarayan mahant luxury bungalow: સાધુતાની આડમાં વૈભવી ઠાઠમાઠ, ધર્મના નામે ભોગ-વિલાસનો નવો ટ્રેન્ડ

Arati Parmar
3 Min Read

Kalupur Swaminarayan mahant luxury bungalow : વર્તમાન સમયમાં હિન્દુ ધર્મ અને સંત પરંપરાના નામે કેટલાક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે. એક તરફ લાલબાપુ જેવા પવિત્ર સંતો છે, જેઓ લોકફાળા કે દાનના એક પણ રૂપિયાનો દુરુપયોગ કરવાનું પાપ માને છે અને સાદગીપૂર્ણ જીવન જીવીને સમાજને નવી રાહ ચીંધે છે. બીજી તરફ, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ અને કથાકારો ભગવા વસ્ત્રોની આડમાં અત્યંત વૈભવી જીવનશૈલી જીવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાધુનો અર્થ જેણે સંસારનો ત્યાગ કર્યો હોય તે થાય, પરંતુ આજકાલ મોંઘી ગાડીઓ, આઈફોન અને એસી રૂમોમાં રહેનારા આધુનિક ‘સાધુઓ’ની સંખ્યા વધી રહી છે, જે ધર્મની મૂળ ભાવના પર સવાલ ઉભા કરે છે.

કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના મહંતનો વિવાદ

તાજેતરમાં કાલુપુર તાબાના કાંકરિયા સ્વામિનારાયણ મંદિરના મહંત અભિષેક સ્વામીનો એક વૈભવી બંગલો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બંગલાના વીડિયો અને ફોટા વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ સંત નિવાસ કોઈ મંદિરના સંકુલમાં નહીં, પરંતુ વડનગરની એક ખાનગી સોસાયટીમાં બનાવવામાં આવ્યો છે. એકાંત માણવા અને અંગત મોજશોખ માટે આટલી મોટી મિલકત સાધુના નામે હોવી તે આશ્ચર્યજનક છે. ભક્તો પોતાના પરસેવાની કમાણી જે દાનમાં આપે છે, તેનો ઉપયોગ આવા ખાનગી બંગલા બનાવવામાં થતો હોવાથી શ્રદ્ધાને ઠેસ પહોંચી રહી છે.

- Advertisement -

સંપ્રદાયના વહીવટ અને આચાર્યોની ભૂમિકા

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અગાઉ પણ સેક્સ સીડી કાંડ અને નાણાકીય લેતીદેતીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. કાલુપુર મંદિરના મહંત પી.પી. સ્વામીની ધિરાણની ચોપડી વાયરલ થયા બાદ પણ કોઈ કડક કાર્યવાહી ન થતા સંસ્થાની નીતિઓ સામે પ્રશ્નો ઉઠ્યા છે. એવું કહેવાય છે કે આચાર્ય અને લાલજીના ખાસ ગણાતા સાધુઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. ધર્મના નામે એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ જ્યારે લાલજીના વૈભવી લગ્નો, હનીમૂન કે અંગત જાહોજલાલી માટે થવા લાગે, ત્યારે તે ધર્મ સંસ્થા મટીને એક વ્યવસાયિક કેન્દ્ર બની જતી હોય તેવું લાગે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી હિન્દુ ધર્મની છબીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે.

જાગૃત ભક્તો અને સામાજિક જવાબદારી

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘બાવા બનવું તો સ્વામિનારાયણના’, જે આજે નકારાત્મક અર્થમાં સાચી ઠરી રહી હોય તેમ જણાય છે. સંસારમાં રહીને જેઓ પ્રગતિ નથી કરી શકતા, તેઓ સાધુ બનીને તમામ પ્રકારના સુખ-સુવિધાઓ ભોગવવાનો માર્ગ અપનાવી રહ્યા છે. આ પરિસ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક અંધ અનુયાયીઓ પણ જવાબદાર છે, જેઓ ધર્મ અને પાખંડ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. જો સમાજ જાગૃત થઈને આવા ભોગ-વિલાસી સાધુઓ સામે અવાજ નહીં ઉઠાવે, તો આવનારા સમયમાં પવિત્ર સંત પરંપરા લુપ્ત થઈ જશે. ધર્માદાનો પૈસો લોકકલ્યાણ માટે વપરાવો જોઈએ, નહીં કે કોઈ સાધુના ખાનગી બંગલાના એસી ચલાવવા માટે.

- Advertisement -
Share This Article