Ayurvedic Hair Care Premature Greying: સફેદ વાળ ફરી થશે કાળા? જાણો શું કહે છે આયુર્વેદ અને કઈ જડીબુટ્ટીઓ છે વાળ માટે આશીર્વાદ સમાન

Arati Parmar
3 Min Read

Ayurvedic Hair Care Premature Greying: શું કોઈ એવી રીત છે જેનાથી સફેદ વાળને ફરીથી કાળા કરી શકાય? આ સવાલના જવાબમાં આયુર્વેદિક નિષ્ણાતો જણાવે છે કે હા, અમુક અંશે આ શક્ય છે. જો નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ શરીરમાં રહેલા દોષો સાથે જોડાયેલું હોય, તો યોગ્ય ખાનપાન, આમળા-બ્રાહ્મી જેવી જડીબુટ્ટીઓ અને વિશિષ્ટ ઔષધીય તેલના ઉપયોગથી તેને કાબૂમાં કરી શકાય છે. આનાથી નવા ઉગતા વાળમાં પિગમેન્ટેશન જળવાઈ રહે છે અને વાળની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

સફેદ વાળ વિશે શું કહે છે આયુર્વેદ?

આયુર્વેદમાં વાળ સફેદ થવાની પ્રક્રિયાને ‘પાલિત્ય’ કહેવામાં આવે છે. આ માત્ર બહારની સમસ્યા નથી પણ શરીરના આંતરિક અસંતુલનનો સંકેત છે. આયુર્વેદ મુજબ, સમય પહેલા વાળ સફેદ થવાનું મુખ્ય કારણ શરીરમાં ‘પિત્ત દોષ’નું વધવું છે. જ્યારે તણાવ, એસિડિટી કે ખરાબ જીવનશૈલીને કારણે શરીરમાં ગરમી વધે છે, ત્યારે તેની નકારાત્મક અસર વાળના મૂળ પર પડે છે અને કુદરતી રંગ બનાવવાની પ્રક્રિયા ખોરવાય છે.

- Advertisement -

શું સફેદ વાળ ફરી કાળા થઈ શકે?

આયુર્વેદ અનુસાર, જો તમારી ઉંમર ૩૫ થી ૪૦ વર્ષથી ઓછી હોય અને વાળ સફેદ થવાનું કારણ તણાવ કે પોષક તત્વોની ઉણપ હોય, તો યોગ્ય પગલાં લેવાથી નવા ઉગતા વાળનો રંગ પાછો લાવી શકાય છે. જોકે, જે વાળ પૂરેપૂરા સફેદ થઈ ગયા છે તેને ફરી કાળા કરવા મુશ્કેલ છે, પરંતુ નવા વાળને સફેદ થતા રોકી શકાય છે.

આંતરિક પોષણ અને જડીબુટ્ટીઓ

આયુર્વેદ શરીરને અંદરથી મજબૂત કરવા પર ભાર મૂકે છે. આ માટે નીચેની ઔષધિઓ કારગર સાબિત થાય છે:

- Advertisement -
  • આમળા: એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર આમળા સ્કેલ્પને સ્વસ્થ રાખે છે.

  • ભૃંગરાજ: તેને ‘વાળનો રાજા’ કહેવામાં આવે છે. તે પિત્ત દોષને સંતુલિત કરી વાળને કાળા રાખવામાં મદદ કરે છે.

  • બ્રાહ્મી: તે મનને શાંત રાખે છે અને તણાવ ઘટાડે છે, જે વાળ માટે ખૂબ જરૂરી છે.

  • આહાર: ખાટા ફળો, લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ અને કાળા તલનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ અને વધુ પડતા કેફીનથી દૂર રહેવું જોઈએ.

તેલ અને હેર માસ્ક

વાળને જળથી મજબૂત કરવા માટે નિયમિત માલિશ જરૂરી છે:

  • ઔષધીય તેલ: નીલીભૃંગાદિ, ભૃંગામલકાદિ અથવા ભૃંગરાજ તેલનો ઉપયોગ કરો.

  • ઘરગથ્થુ તેલ: નાળિયેર તેલમાં મીઠા લીમડાના પાન ગરમ કરીને લગાવવાથી વાળનો રંગ જળવાઈ રહે છે.

  • હેર માસ્ક: ભૃંગરાજ અને આમળા પાવડરને દહીંમાં મિક્સ કરીને અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવો.

જીવનશૈલીમાં બદલાવ અને આયુર્વેદિક પદ્ધતિઓ

ખરાબ જીવનશૈલી વાળની એજિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. આ માટે:

- Advertisement -
  • પ્રાણાયામ: નાડી શોધન અને ભ્રામરી પ્રાણાયામથી તણાવ ઓછો થાય છે.

  • ઊંઘ: રાત્રે ૧૧ વાગ્યા પહેલા સૂઈ જવાની આદત શરીરને રિકવર થવામાં મદદ કરે છે.

  • આયુર્વેદિક ચિકિત્સા: પિત્ત શાંત કરવા માટે શિરોધારા, તક્રધારા કે તૈલધારા જેવી પદ્ધતિઓ નિષ્ણાતોની સલાહ મુજબ લઈ શકાય છે.

આયુર્વેદમાં રાતોરાત ચમત્કાર થતો નથી. જો તમે ૩ થી ૬ મહિના સુધી શિસ્તબદ્ધ રીતે આ ઉપાયો ફોલો કરશો, તો ચોક્કસપણે સકારાત્મક સુધારો જોવા મળશે.

Share This Article