Government caps prices on 41 essential medicines: આપણે ત્યાં કોઈ બીમાર પડે અને તેમાં પણ જો તે બીમારી કોઈ મુશ્કેલ બીમારી હોય કે ગંભીર હોય તો બહુ સ્વાભાવિકપણે જ મધ્યમવર્ગ માટે બહુ ટફ થઇ જાય છે.અને તે સિવાય પણ જો મિડલ ક્લાસના કે નીચલા વર્ગની કોઈ વ્યક્તિને ડાયાબિટીક્સ કે બીપી જેવી કોઈ બીમારી થાય કે જેમાં તેણે રોજ મોંઘી દવા લેવાની હોય તો તેના મોતિયા મરી જ જાય છે. કેમ કે, દવાઓ આ રોગની જરૂર મુજબ,રોજે રોજ લેવી પડે છે અને ખર્ચ થાય છે.એટલે આ વધારાના બોજૉને લીધે મધ્યમવર્ગની કેડ તો વાંકી જ વળી જાય.ત્યારે હાલમાં જ સરકારે આ સ્થિતિને અને મેડિકલ જગત અને ડોક્ટરોની મિલીભગતને પણ ધ્યાનમાં લેતા સરકારે 41 દવાઓનો મહત્તમ છૂટક ભાવ નક્કી કર્યો છે. આ દવાઓ ડાયાબિટીસ, હૃદય, તાવ, દુખાવો, તણાવ અને જીવનશૈલી સંબંધિત અન્ય રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. મંગળવારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. આમાં, 41 દવાઓનો મહત્તમ છૂટક ભાવ નક્કી કરવામાં આવ્યો છે. તેની કિંમત ઉપરાંત, ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિશ્ચિત ભાવમાં વધારાનો GST ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે.
ઉત્પાદકે છૂટક ભાવ નક્કી કરવો પડશે
નોટિફિકેશનમાં, આને ‘નવી દવાઓ’ કહેવામાં આવી છે. આ મુજબ, ઉત્પાદકે છૂટક ભાવ નક્કી કરવો પડશે. દવા ઉત્પાદક કંપની છૂટક ભાવ પર GST ની રકમ ત્યારે જ ઉમેરી શકે છે જ્યારે તે સરકારને ચૂકવવામાં આવી હોય અથવા બાકી હોય. નોટિફિકેશન મુજબ, દરેક દુકાનદાર અને ડીલરને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી કિંમત યાદી તેમની દુકાનમાં એવી જગ્યાએ ચોંટાડે, જ્યાં કોઈપણ વ્યક્તિ તેને સરળતાથી વાંચી અને જોઈ શકે.
જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો, પૈસા વ્યાજ સાથે પરત કરવા પડશે
આવું કરવું જરૂરી છે જેથી ગ્રાહકો દવાની કિંમત સરળતાથી જાણી શકે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે છૂટક કિંમત ફક્ત તે ઉત્પાદકોને લાગુ પડશે જેમણે સરકાર દ્વારા બનાવેલા તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે. જો દવાના છૂટક ભાવ સંબંધિત સૂચનાઓનું ઉત્પાદક દ્વારા પાલન ન કરવામાં આવે, તો નિયમો અનુસાર, એકત્રિત કરેલી વધારાની રકમ વ્યાજ સાથે જમા કરાવવી પડશે. કઈ દવાઓ માટે નક્કી કરાયેલા દર?
> અલ્જીનેટ રાફ્ટફોર્મિંગ ઓરલ સસ્પેન્શન
> એટોર્વાસ્ટેટિન અને એઝેટીમીબ ટેબ્લેટ્સ
> એટોર્વાસ્ટેટિન અને એઝેટીમીબ ટેબ્લેટ્સ
> ઇન્ફ્યુઝન માટે સોલ્યુશન માટે સેફ્ટ્રિયાક્સોન, સલ્બેક્ટમ અને ડિસોડિયમ એડેટેટ પાવડર
> સેફ્યુરોક્સાઈમ અને પોટેશિયમ ક્લેવુલેનેટ ટેબ્લેટ્સ
> કોલેકેલસિફેરોલ ઓરલ ટીપાં
> ક્લિન્ડામિસિન અને નિકોટીનામાઇડ જેલ
> આયર્ન, ફોલિક એસિડ અને સાયનોકોબાલામિન સીરપ
> મેલાટોનિન અને ઝોલ્પીડેમ ટાર્ટ્રેટ ટેબ્લેટ્સ
> પોલમાકોક્સિબ અને પેરાસીટામોલ ટેબ્લેટ્સ
> એમ્પાગ્લિફ્લોઝિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (ER) ટેબ્લેટ્સ
> એમ્પાગ્લિફ્લોઝિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ
> સીતાગ્લિપ્ટિન, ગ્લિમેપીરાઇડ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ
> ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ અને ક્લોરફેનિરામાઇન મેલેટ સીરપ
ત્યારે આખરે અહીં કહેવાનો તે મતલબ છે કે, લોકોને અન્ય સુવિધાઓની સાથે સાથે સસ્તી અને યોગ્ય દવાઓ મળી રહે તે પગલાંઓની પણ ક્યાંક જરૂર તો હતી જ. કેમ કે, આમપણ દવાઓનો વેપલો એક તેવી વસ્તુ બની ગઈ છે કે, જ્યાં ગ્રાહક સાથે લૂંટ પણ થાય છે અને તેને બિનજરૂરી તેમજ નકલી દવાઓ પણ પધરાવવામાં આવે છે.ત્યારે દવાઓ સસ્તી કરવાની સાથે આ માટે પણ કોઈક નિયમ કે કાયદા બનાવવા જોઈએ. ત્યારે જ લોકોને ખરી રાહત મળે અને નકલી દવાઓને અને તેનાથી થતા નુકસાનથી પણ બચી શકાય.