Highly Hazardous Pesticides India: ભારતમાં માણસની જાનની કિંમત કેટલી ઓછી છે? જે ઝેર દુનિયા નકારી ચૂકી, એ ભારતમા બિન્દાસ વપરાય છે…લોકો મરે તો મરે

Arati Parmar
3 Min Read

Highly Hazardous Pesticides India: ભારતમાં માણસની જાનની કિંમત કેટલી ઓછી છે?

જે ઝેર દુનિયા નકારી ચૂકી, એ ભારતમા બિન્દાસ વપરાય છે…લોકો મરે તો મરે

- Advertisement -

વિચારો…
WHO એટલે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંસ્થા. એણે સ્પષ્ટ કહ્યું છે કે 27 પ્રકારની પેસ્ટિસાઈડ દવાઓ “Highly Hazardous” છે. એટલે કે આ દવા સીધી કેન્સર, બ્લડ કેન્સર, પાર્કિન્સન, વાંઝિયાપણું અને નવજાત બાળકોમાં ખામી લાવે છે.

યુરોપના 27 દેશો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ – દુનિયાના અડધાથી વધુ દેશોએ માણસોના જીવ બચાવવા માટે આ 27 દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.

- Advertisement -

પણ ભારતમાં શું થાય છે?
અહીં એ જ 27 ઝેરી દવાઓ ખેતરની દરેક દુકાનમાં “સુપર પાવર”, “ગ્રીન બૂસ્ટર” ના નામે વેચાય છે.
કંપનીનો માણસ ખેડૂતને કહે “છાંટો સાહેબ, પાક ડબલ થશે”.
અને આપણે શહેરમાં બેસીને એ જ ઝેર વાળું અનાજ, શાકભાજી અને દૂધ “સસ્તું છે” કહીને ખરીદીએ છીએ.

મતલબ સાફ છે – દુનિયાને ભારતીયનો જીવ વહાલો છે, પણ ભારત સરકારને નથી.
અહીં કાયદો નબળો છે, Lobbying મજબૂત છે અને માણસની જાન સૌથી સસ્તી છે.

- Advertisement -

“India’s Story” ફિલ્મ ની કહાની પરથી

ફિલ્મમાં એક સામાન્ય પરિવારની કહાની છે.
હીરોની 7 વર્ષની દીકરી ને અચાનક બ્લડ કેન્સર થાય છે. 6 મહિનાની ટ્રીટમેન્ટ પછી પણ એ બચી નથી શકતી.

ડોક્ટરના બધા રિપોર્ટ એક જ વાત કહે છે – કારણ છે લાંબા સમય સુધી પેસ્ટિસાઈડ વાળો ખોરાક અને પાણી.

માતા-પિતા ચૂપ નથી બેસતા. એ કોર્ટમાં કેસ કરે છે. આરોપી છે મોટી-મોટી Pesticides કંપનીઓ.

કોર્ટમાં રજૂ થયેલા પુરાવા:

1. ખોરાક દ્વારા ઝેર
લેબ રિપોર્ટમાં શાકભાજી, અનાજ, દૂધમાં Chlorpyrifos, Glyphosate, Atrazine મળ્યા. WHO એ આ બધાને “Highly Hazardous” કહ્યા છે.

2. ખેડૂતોના રોગો
જે ખેડૂતો રોજ આ દવા છાંટે છે એમને પાર્કિન્સન, શ્વાસના રોગ, વાંઝિયાપણું, સ્કિન કેન્સર થાય છે. કંપની કોઈ માસ્ક-ટ્રેનિંગ આપતી જ નથી.

3. આખું ગામ બીમાર
ગામના પાણી અને જમીનમાં આ ઝેર 20 વર્ષ સુધી રહે છે. પરિણામ: 10 માંથી 3 બાળકને કોઈ ને કોઈ બીમારી.

કોર્ટમાં 1 જ સવાલ ગુંજ્યો
“જ્યારે દુનિયાના 50 દેશોમાં આ દવા બેન છે, તો ભારતમાં કેમ વેચાય છે?
Pesticides કંપનીઓની Lobbying ને કારણે કોઈ કડક નીતિ-નિયમ કેમ નથી?”

નિષ્કર્ષ
આ ફિલ્મ અને હકીકત આપણને 1 જ વાત શીખવે છે.
આપણે જે “સસ્તું અને ચમકતું” શાક ખરીદીએ છીએ, એની પાછળ કોઈની જિંદગીનું મોત છુપાયેલું હોઈ શકે.

ઝેરથી મરવું મંજૂર છે, પણ જાગૃત થવું નહીં?

જ્યાં સુધી સરકાર આ 27 દવાઓ પર તાત્કાલિક બેન ન લગાવે,
ત્યાં સુધી આપણી થાળીમાં ઝેર આવતું જ રહેશે.

“ઝેર વેચનારને સજા નહીં, તો આવતી કાલે વારો આપણો હશે”

Share This Article