LCA Tejas Technical Issues: તેજસના ઉડાણ પર બ્રેક, ‘વાયુ શક્તિ’ના રિહર્સલથી કેમ દૂર રહ્યું ભારતનું સ્વદેશી ફાઈટર પ્લેન?

Arati Parmar
3 Min Read

LCA Tejas Technical Issues: દેશના સ્વદેશી હળવા લડાકુ વિમાન (LCA) તેજસ સાથે કંઈક બરાબર નથી થઈ રહ્યું. તેજસ આ દિવસોમાં એક અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેજસ એક મોટી મારક ક્ષમતાના પ્રદર્શન દરમિયાન ફુલ ડ્રેસ રિહર્સલમાં ભાગ લઈ શક્યું નહીં. એક અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં થયેલા એક એક્સિડન્ટ બાદથી આ કાફલો ઉડાન નથી ભરી રહ્યો. તે કદાચ ‘વાયુ શક્તિ યુદ્ધાભ્યાસ’ના મુખ્ય કાર્યક્રમમાં પણ સામેલ થઈ શકશે નહીં.

તેજસ અત્યારે કડક તપાસમાંથી પસાર થઈ રહ્યું છે

તેજસને ‘વાયુ શક્તિ અભ્યાસ’માં સ્વદેશી વિમાન તરીકે પ્રદર્શિત કરવાનું હતું, જે ૨૭ ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ અભ્યાસમાં ભારતીય વાયુસેના (IAF) દુશ્મન પર ઝડપથી હુમલો કરવાની અને ઓપરેશનલ વાતાવરણ પર પ્રભુત્વ સ્થાપિત કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે તેજસ લડાકુ વિમાન વિતેલા મંગળવારે પોખરણમાં થયેલા પૂર્ણ પૂર્વાભ્યાસમાં સામેલ થયું નથી, કારણ કે આ કાફલો બે અઠવાડિયાથી વધુ સમયથી ટેકનિકલ તપાસમાંથી પસાર થઈ રહ્યો છે.

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હશે મુખ્ય અતિથિ

ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ ‘વાયુ શક્તિ’ અભ્યાસ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સફળ હવાઈ અભિયાનોને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

તેજસની જાળવણીની તપાસ કરવામાં આવી રહી છે

એક અહેવાલ મુજબ, ભારતીય વાયુસેના (IAF) ના તેજસ લડાકુ વિમાન કાફલાની ‘જાળવણીની તપાસ’ કરવામાં આવી રહી છે, જેથી ૭ ફેબ્રુઆરીએ બેઝ પરથી ઉડાન ભરતી વખતે થયેલી ઘટનાનું કારણ જાણી શકાય. બીજી તરફ, લડાકુ વિમાનને માળખાગત નુકસાન થયું છે. સંભવતઃ તેને નકામું જાહેર કરવામાં આવશે. ભારતીય વાયુસેનાએ આ ઘટનાક્રમ પર કોઈ ટિપ્પણી કરી નથી. સૂત્રોએ જણાવ્યું કે વાયુસેના સામાન્ય રીતે એરબેઝની અંદર થતી ઘટનાઓ પર ટિપ્પણી કરતી નથી.

- Advertisement -

HAL એ જણાવ્યું હતું – મામૂલી ટેકનિકલ ખામી

મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ભારતીય વાયુસેનાને સપ્લાય કરવામાં આવેલા ૩૨ સિંગલ સીટર એલસીએ (LCA) વિમાનોમાંથી એક સાથે સંબંધિત છે. એલસીએ કાફલા સાથે જોડાયેલી આ ત્રીજી મોટી દુર્ઘટના છે, જેમાં અગાઉ જ બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. HAL એ આ ઘટનાને ‘મામૂલી ટેકનિકલ ખામી’ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે તે આના વહેલા ઉકેલ માટે વાયુસેના સાથે મળીને કામ કરી રહી છે.

આખરે શું થયું હતું, શું લગાવાઈ રહ્યા છે અટકળો

આ સમયગાળા દરમિયાન જ્યાં સુધી અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી તેજસ લડાકુ વિમાન ઉડાન નહીં ભરે. સૂત્રએ જણાવ્યું કે આ એક જમીની ઘટના હતી, જેનો અર્થ એ છે કે આ વિમાનના ઉડાન ભરવા દરમિયાન નહીં, પરંતુ જમીન પર રહેવા દરમિયાન ઘટી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓને સત્તાવાર રીતે દુર્ઘટના, અકસ્માત કે ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ કિસ્સામાં તેને ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. શરૂઆતી આકલન એવું છે કે વિમાનના ટેક-ઓફ રન દરમિયાન અચાનક કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ. શંકા છે કે ટેકનિકલ ખામી બ્રેક સાથે સંબંધિત હતી, જેના કારણે ટાયર ફાટી ગયું. તેના પરિણામે વિમાન રનવેની બહાર નીકળી ગયું.

- Advertisement -
Share This Article