Truth About Jodhabai and Akbar: આપણા પાઠ્યપુસ્તકોમાં નાનપણથી જ આપણને ઇતિહાસ ભણાવવામાં આવે છે.અને તેને આજીવન સાચો માની આપણે તેને તે જ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ.પરંતુ આપણને મોટાભાગે તે ખ્યાલ હોતો નથી કે, ઇતિહાસને તોડી મરોડીને પણ રજૂ કરવામાં આવે છે.ત્યારે આજે અહીં આપણે આપણી એક મોટી ગેરસમજ અંગે વાત કરીશું . જ્યોર્જ ઓરવેલે તેમની નવલકથા 1984 માં લખી હતી.જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે, કે જેનો વર્તમાન પર નિયંત્રણ છે તેનો ભૂતકાળ પર પણ નિયંત્રણ છે. એટલે કે, વિજેતા ઇતિહાસ લખે છે.પરંતુ અહીં સાવલિયા નિશાન તે છે કે, શું ભૂતકાળને રેકોર્ડ કરતા ઇતિહાસના પુસ્તકોમાં પોતાના દ્રષ્ટિકોણ મુજબ તથ્યોમાં ભેળસેળ કરવી યોગ્ય છે. શું તથ્યોમાં ભેળસેળ ઇતિહાસ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને દૂષિત કરતી નથી? આજે આપણે ઇતિહાસમાં ભેળસેળની ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ દાવો કર્યો છે કે મુઘલ સમ્રાટ અકબરના લગ્ન જોધા બાઈ સાથે થયા ન હતા. હરિભાઈ બાગડેના નિવેદન પછી, જોધા બાઈ વિશે ચર્ચા થઈ રહી છે. ત્યારે આ દાવા અંગે કેટલાક ઇતિહાસકારોએ જોધા બાઈના અસ્તિત્વ વિશે સત્ય જાણવા માટે ઇતિહાસના પુસ્તકોનો અભ્યાસ કર્યો. ત્યારે અહીં આ સંશોધનમાં મળેલી માહિતી જોઈએ. કારણ કે આ માહિતી આંખો ખોલનારી છે અને ઇતિહાસમાં જૂઠાણાની ભેળસેળને ઉજાગર કરશે.
ઇતિહાસકાર સતીશ ચંદ્રાએ NCERT ના 11મા ધોરણના પુસ્તક મધ્યયુગીન ભારત ના પાના નંબર 165 પર સ્પષ્ટપણે લખ્યું છે કે મારવાડના રાજા ઉદય સિંહે તેમની પુત્રી જગત ગોસાઈન અથવા જોધા બાઈ ના લગ્ન અકબરના મોટા પુત્ર સલીમ (જહાંગીર) સાથે કર્યા હતા. સતીશ ચંદ્રએ લખ્યું છે કે અકબરના લગ્ન 1562 માં હીરા કુંવર સાથે થયા હતા. તે આમેરના રાજા ભારમલની પુત્રી હતી. સરકાર દ્વારા પ્રકાશિત NCERT પુસ્તકોને દેશનો સત્તાવાર ઇતિહાસ માનવામાં આવે છે. આ પુસ્તકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જોધા બાઈ અકબરની પત્ની નહોતી. તો પછી આ જૂઠાણું કેવી રીતે ફેલાયું.
આપણે આનું વિગતવાર વિશ્લેષણ પછી કરીશું. પરંતુ પહેલા ચાલો તમને જણાવીએ કે સંશોધન દરમિયાન જોધા બાઈ વિશે અમને કઈ બીજી માહિતી મળી. અબ્રાહમ એરેલીએ તેમના પુસ્તક “ધ લાસ્ટ સ્પ્રિંગ” માં લખ્યું છે કે જહાંગીરની એક પત્નીનું નામ જોધા બાઈ હતું, જે શાહજહાંની માતા હતી. અકબર પર લખાયેલા તેમના પુસ્તક “અલ્લાહુ અકબર: અન્ડરસ્ટેન્ડિંગ ધ ગ્રેટ મુઘલ ઇન ટુડેઝ ઇન્ડિયા” માં, મણિમુગ્ધ એસ શર્માએ લખ્યું છે કે આમેર રાજકુમારી હીરા કંવર અથવા હરખા બાઈ અકબરની ચોથી પત્ની હતી.
અકબર અને જહાંગીર વિશે માહિતીનો મહત્વપૂર્ણ સ્ત્રોત બે પુસ્તકો છે. એક પુસ્તક અબુલ ફઝલનું અકબરનામા છે અને બીજું પુસ્તક જહાંગીરની આત્મકથા તુઝુક-એ-જહાંગીરી છે. અબુલ ફઝલનું અકબરનામા, જે અકબરના નવરત્નોમાં સમાવિષ્ટ છે, તેને મુઘલ કાળનો સત્તાવાર દસ્તાવેજ માનવામાં આવે છે. પરંતુ જોધા બાઈનો અકબરનામામાં પણ ઉલ્લેખ નથી. અકબરનામા અકબરના હરખા બાઈ સાથેના લગ્નનું વર્ણન કરે છે. તુઝુક-એ-જહાંગીરીમાં જોધા બાઈનો કોઈ ઉલ્લેખ નથી. જહાંગીરે ક્યારેય તેમની માતાને જોધા કહી નથી.
જૂના ઇતિહાસના ગ્રંથોથી લઈને NCERT પુસ્તકો સુધી, ક્યાંય પણ જોધા બાઈનો ઉલ્લેખ નથી. તો પછી જોધાબાઈને અકબરની પત્ની કેમ કહેવામાં આવશે? સંશોધન દરમિયાન, અમને આ અંગે એક રસપ્રદ માહિતી મળી. આ માહિતી ગોવાના લેખક લુઈસ ડી અસીમ કોરિયાના 173 પાનાના પુસ્તક ‘પોર્ટુગીઝ ઈન્ડિયા એન્ડ મુઘલ રિલેશન્સ 1510-1735’ માં નોંધાયેલી છે. તેમના પુસ્તકમાં, અસીમ કોરિયાએ દાવો કર્યો છે કે જોધાબાઈ ખરેખર પોર્ટુગીઝ ડોના મારિયા મસ્કરેન્હાસ હતી. ડોના મારિયા અને તેની બહેન જુલિયાનાને ગુજરાતના સુલતાન બહાદુર શાહે સમુદ્રમાં પોર્ટુગીઝ કાફલામાંથી પકડી લીધા હતા. બહાદુર શાહે તેમને અકબરને ભેટમાં આપ્યા હતા. બાદમાં, અકબરે ડોના મારિયા મસ્કરેન્હાસ સાથે લગ્ન કર્યા.
કોરિયા તેમના પુસ્તકમાં જણાવે છે કે ડોના મારિયા ખ્રિસ્તી હોવાને કારણે તેના વિશે વિવાદ થયો હતો. તેથી, તેની દંતકથા જોધાબાઈ તરીકે બનાવવામાં આવી હતી. કોરિયા કહે છે કે જો જોધાબાઈ રાજપૂત રાજાની પુત્રી હોત, તો તેનો ઉલ્લેખ ચોક્કસપણે મુઘલ દસ્તાવેજોમાં થયો હોત. મુઘલોએ તેનું ગર્વથી વર્ણન કર્યું હોત. પરંતુ આવું નથી. જો મુઘલ દસ્તાવેજોમાં જોધાબાઈનો ઉલ્લેખ નથી, તો જોધાબાઈનું પાત્ર ક્યાંથી આવ્યું? અહીં અમે તમને જણાવી દઈએ કે જોધાબાઈનું પહેલું વર્ણન બ્રિટિશ લેખક કર્નલ ટોડ દ્વારા લખાયેલા પુસ્તક “એનલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઓફ રાજસ્થાન” માં આવ્યું છે. આ પુસ્તક સૌપ્રથમ 1829 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના આધારે, પછીના વર્ષોમાં એવું માનવામાં આવતું હતું કે જોધાબાઈના લગ્ન અકબર સાથે થયા હતા. કર્નલ ટોડ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારી હતા. દેખીતી રીતે તેમનો દૃષ્ટિકોણ બ્રિટિશરો જેવો જ હતો. વિદ્વાનો કહે છે કે જોધાબાઈનું પાત્ર સાંસ્કૃતિક સંવાદિતાના પ્રતીક તરીકે બનાવવામાં આવ્યું હતું. અમે બધા ઇતિહાસ પુસ્તકો વાંચ્યા. ઘણા ઇતિહાસકારો સાથે વાત કરી. પરંતુ ક્યાંય જોધાબાઈનું સત્તાવાર વર્ણન મળ્યું નહીં. ઇતિહાસકારો સ્પષ્ટપણે જણાવે છે કે જોધાબાઈનું પાત્ર કાલ્પનિક છે. વિદ્વાનો કહે છે કે જોધાબાઈના પાત્ર દ્વારા, અકબરને ઉદારવાદી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્વાનો તેને સાંસ્કૃતિક ગેસલાઇટિંગ પણ કહે છે, જ્યાં એવા તથ્યો બનાવવામાં આવે છે કે સમાજ પોતાના ઇતિહાસ પર શંકા કરવા લાગે છે. તેથી જ આજે અમે આ વિશ્લેષણ કર્યું જેથી દરેક વ્યક્તિ સત્યથી પરિચિત થઈ શકે. નવી શોધો ઇતિહાસની ઘણી જૂની માન્યતાઓને બદલી નાખે છે. તેથી, આ સત્ય સ્વીકારવું જોઈએ કે જોધાબાઈનું પાત્ર કાલ્પનિક છે અને જોધાબાઈ અકબરની પત્ની નહોતી.અહીં જોવાનું તે જ છે કે, ઇતિહાસને આપણી સમક્ષ કેવો તોડી મરોડી રજૂ કરવામાં આવે છે.