Mir Yar Baloch Letter to India: બલોચ નેતા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને ભારત સરકાર અને ભારતીય જનતાને નવા વર્ષ ૨૦૨૬ની શુભકામનાઓ પાઠવી છે. આ પત્રમાં તેમણે ભારત સાથેના ઐતિહાસિક સંબંધો, આતંકવાદ સામેની કાર્યવાહી, પાકિસ્તાન સામે બલૂચિસ્તાનનો સંઘર્ષ અને ચીન-પાકિસ્તાન ગઠબંધન અંગે ગંભીર ચેતવણી આપી છે.
ભારતના ૧૪૦ કરોડ લોકોને નવા વર્ષની શુભકામનાઓ
મીર યાર બલોચે પત્રમાં જણાવ્યું હતું કે, તેઓ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનના ૬ કરોડ દેશભક્ત નાગરિકો વતી ભારતના ૧૪૦ કરોડ લોકો, સંસદના બંને ગૃહો, મીડિયા, સિવિલ સોસાયટી અને તમામ સન્માનિત નાગરિકોને નવા વર્ષ ૨૦૨૬ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
પત્રમાં ભારત અને બલૂચિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, રાજદ્વારી અને સંરક્ષણ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મીર યાર બલોચે હિંગળાજ માતા મંદિર (નાની મંદિર) ને બંને દેશોની સહિયારી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક ગણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂરની પ્રશંસા
મીર યાર બલોચે મોદી સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે લેવામાં આવેલા પગલાંની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી અડ્ડાઓને નિશાન બનાવવા એ સાહસિક અને ન્યાયપૂર્ણ પગલું હતું, જે પ્રાદેશિક સુરક્ષા માટે જરૂરી છે.
Open letter to Honorable Foreign Minister of #Bharat Shri @DrSJaishankar ji
From,
Baloch Representative,
Republic of Balochistan
State.
The Honorable Dr. S. Jaishankar,
Minister of External Affairs,
Government of Bharat,
South Block, Raisina Hill,
New Delhi – 110011
January… https://t.co/WdjaACsG2V pic.twitter.com/IOEusbUsOB
— Mir Yar Baloch (@miryar_baloch) January 1, 2026
૭૯ વર્ષથી પાકિસ્તાનના કબજામાં બલૂચિસ્તાન
પત્રમાં જણાવાયું હતું કે બલૂચિસ્તાન છેલ્લા ૭૯ વર્ષથી પાકિસ્તાનના કબજા, રાજ્ય પ્રાયોજિત આતંકવાદ અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનનો ભોગ બન્યું છે. મીર યાર બલોચે કહ્યું કે હવે આ સમસ્યાને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે જેથી બલૂચિસ્તાનને કાયમી શાંતિ અને સાર્વભૌમત્વ મળી શકે.
ભારતને પૂર્ણ સમર્થનની જાહેરાત
બલોચ નેતાએ સ્પષ્ટપણે કહ્યું કે બલૂચિસ્તાનની જનતા ભારત અને તેની સરકાર સાથે પૂરી મજબૂતીથી ઊભી છે. તેમણે શાંતિ, વિકાસ, વેપાર, સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા પડકારો અને છુપાયેલા જોખમોનો સામનો કરવા માટે ભારત સાથે ભરોસાપાત્ર ભાગીદારીની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નક્કર અને વ્યવહારુ સહયોગની જરૂરિયાત
મીર યાર બલોચે કહ્યું કે વર્તમાન સમયમાં માત્ર નિવેદનબાજી નહીં, પરંતુ નક્કર અને પરસ્પર સહયોગની જરૂર છે. ભારત અને બલૂચિસ્તાન બંને જે જોખમોનો સામનો કરી રહ્યા છે તે વાસ્તવિક અને તાત્કાલિક છે, તેથી સંબંધો પણ તેટલા જ મજબૂત અને પ્રભાવી હોવા જોઈએ.
પાકિસ્તાન-ચીન ગઠબંધન અંગે ગંભીર ચેતવણી
પત્રમાં પાકિસ્તાન અને ચીનની વધતી વ્યૂહાત્મક ભાગીદારીને અત્યંત જોખમી ગણાવવામાં આવી હતી. મીર યાર બલોચે ચેતવણી આપી હતી કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, જે પ્રાદેશિક સંતુલન બગાડી શકે છે.
બલૂચિસ્તાનમાં ચીની સેનાની આશંકા
તેમણે ચેતવણી આપી હતી કે જો બલૂચિસ્તાનની રક્ષા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્થન નહીં મળે તો આવનારા મહિનાઓમાં બલૂચિસ્તાનમાં ચીની સેનાની તૈનાતી થઈ શકે છે. ૬ કરોડ બલોચ લોકોની ઈચ્છા વિના ચીની સૈન્યની હાજરી ભારત અને બલૂચિસ્તાન બંનેના ભવિષ્ય માટે ગંભીર ખતરો બની શકે છે.
ભારત સાથે મજબૂત ભાગીદારીની અપેક્ષા
પત્રના અંતે મીર યાર બલોચે ભારત સાથે વધુ મજબૂત, સક્રિય અને વ્યૂહાત્મક સહયોગની આશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બંને દેશોની ભાગીદારી સમગ્ર પ્રદેશની શાંતિ અને સુરક્ષા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

