Vadodara gangrape case : વડોદરા ગેંગરેપ કેસ: સિરિયલ કિલર સાથે શંકાસ્પદ કનેક્શન, ન્યાય માટે માતાનું 3 વર્ષનું આક્રંદ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

વડોદરા, ગુરુવાર
Vadodara gangrape case : ‘મારી દીકરીનો આત્મા હજુ ન્યાય માટે વાટ જોઈ રહ્યો છે’.. નવસારીની એક પીડિત માતાના આ કરૂણ શબ્દો છે, જેમણે પોતાની દીકરી ગુમાવ્યાને ચાર વર્ષ વીતી ગયા છતાં ન્યાય માટે હજી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેમણે કાળા ડૂખ સાથે જણાવ્યું, “એક દિવસ એવો નથી કે મારી દીકરી યાદ ન આવે. અમે દર મહિને વડોદરા જઈને ન્યાય માટે દોડધામ કરીએ છીએ, પરંતુ કેસ ક્યાં સુધી પહોંચ્યો છે તે ખબર પડતી નથી. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, અને અમે હજી પણ હેરાનગી અનુભવીએ છીએ. મારી એકમાત્ર આશા છે કે મારી દીકરીને ન્યાય મળે.”

શું હતી ઘટના
14 નવેમ્બર, 2021ના રોજ, વલસાડના પારડી તાલુકાના મોતીવાલા વિસ્તારમાં રહેતી બી.કોમ. વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું, તેનાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે એક સિરિયલ કિલરને પકડ્યો છે, જેને છ હત્યાઓ કબુલ કરી છે. માતાને શંકા છે કે આ જ કિલરે તેની દીકરીની હત્યા કરી હશે.

- Advertisement -

વિગતવાર જાણકારી:
4 નવેમ્બર, 2021ના રોજ, વડોદરાની યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ વલસાડ રેલવે સ્ટેશન પર મળી આવ્યો હતો. આ યુવતી માત્ર 18 વર્ષની હતી અને OASIS નામની સંસ્થામાં કામ કરતી હતી. તે મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી, પણ તેના બદલે તેનો મૃતદેહ જ મળી આવ્યો…

ડાયરીમાં ગેંગરેપનો ખુલાસો:
પોલીસ તપાસ દરમિયાન યુવતીની ડાયરી મળી, જેમાં તેના ગેંગરેપના ભયાનક દિવસોની હકીકતો લખવામાં આવી હતી. 2 રિક્ષાચાલકોએ વડોદરામાં તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ડાયરીના આ આધાર પર તપાસ શરૂ કરાઈ, પણ ચાર વર્ષ બાદ પણ કેસ સ્થગિત અવસ્થામાં છે.

- Advertisement -

કેસ હજી ઉકેલાયો નથી:
આ ઘટનાના કારણે સમગ્ર રાજ્ય ચકચારમાં છે. રાજય સરકારે ઘટના બાદ આ મામલે 25 પોલીસ ટીમો બનાવી, પરંતુ અનેક રાજ્યોની તપાસ બાદ પણ હકીકત પ્રકાશમાં આવી નથી.

માતાની ન્યાય માટે ઝુંબેશ:
આ યુવતીની માતા છેલ્લા ચાર વર્ષથી ન્યાયની લડત લડી રહી છે. માતાએ જણાવ્યું કે, “મારી દીકરીનો આત્મા હજી પણ શાંતિમાં નથી. વલસાડમાં પકડાયેલા આ સિરિયલ કિલર પર અમે શંકા વ્યક્ત કરી છે. જો તેની યોગ્ય પૂછપરછ કરવામાં આવશે, તો કઈક સાચું પ્રકાશમાં આવશે.”

- Advertisement -

સરકારની નિષ્ક્રિયતા:
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિતાને ન્યાય મળવાનો વાયદો કર્યો હતો, પરંતુ હકીકતમાં, આજે પણ કેસ ત્યાં જ છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ કોઈ ચોક્કસ પ્રગતિ નથી.

માતાની વેદના:
“આ શોકમાંથી બહાર આવવું મુશ્કેલ છે. અમે દર મહિને વિનંતી કરીએ છીએ, પરંતુ આપણું સિસ્ટમ આપણને નિરાશ કરે છે. મારી દીકરીને ન્યાય મળે એ જ મારી એકમાત્ર પ્રાર્થના છે,” માતાના આ આક્રંદમાંથી તેમના દુઃખ અને ન્યાય માટેના લડતના દર્શન થાય છે.

 

 

 

 

 

 

Share This Article