Pakistan and AK-47 : ખાવા માટે દાણા નથી, પણ લોહી વહાવવા AK 47 જોઈએ છે,ભિખારી પાકિસ્તાનને ત્રાસવાદની ફેક્ટરી ચલાવવા માટે ક્યાંથી નાણાં મળે છે ? જાણો

Arati Parmar
4 Min Read

Pakistan and AK-47 :  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આતંકવાદી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કાશ્મીરની અર્થવ્યવસ્થા મોટાભાગે આ પ્રવાસીઓ પર નિર્ભર છે અને અત્યાર સુધી એવા ઘણા ઓછા કિસ્સા બન્યા છે જેમાં પ્રવાસીઓને આ રીતે નિશાન બનાવવામાં આવ્યા હોય. આવી સ્થિતિમાં આતંકવાદીઓ દ્વારા જે પ્રકારની કાયરતાપૂર્ણ હરકતો કરવામાં આવી છે તેણે દરેકને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે હવે તેને ખતમ કરવા માટે કેટલાક વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

વધુમાં આ તે જ પાકિસ્તાન છે કે, જેને ખાવા માટે દાણા-પાણી નથી.પાઇ-પાઇ માટે મોહતાઝ છે.જ્યારથી પાકિસ્તાનનો જન્મ થયો છે ત્યારથી જ તેણે ત્રાસવાદની ફેક્ટરીઓ નાખી છે.પરંતુ જીવન જરૂરી ચીજ-વસ્તુઓની ફેકટરીઓ નાકહી ઉત્પાદન વધારવાની અને દેશના GDP પર ધ્યાન રાખવાની દરકાર કરી નથી.કે ન તો નાણાં માટે કે વિકાસ ઇન્ફ્રાસ્ટક્ચર માટે કોઈ તસ્દી લીધી છે.પાકિસ્તાનના શાસકોએ હંમેશા ભારતને ઘમરોળવાના સપનાઓ જોઈ પ્રજાને પણ ઉશ્કેરે છે અને યુવાનોને ભડકાવી ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ થવા તૈયાર કરે છે.આ છે ભિખારી દેશ પાકિસ્તાનના ધન્ધા કે જેમાં તેના લાખો ભિખારીઓ સાઉદી અરેબિયામાં પણ ઉત્પાત મચાવી રહ્યા છે.

- Advertisement -

ત્યારે આ સ્થિતિમાં તેણે ફરી એકવાર પહેલગામ પર હુમલો કરી ભારતને તેના પર જવાબી હુમલા માટે ઉશ્કેર્યું છે.વેલ .ભારત સરકાર પહેલગામ મુદ્દે સતત ચર્ચા કરી રહી છે. જવાબ આપવા માટે દેશભરમાંથી જોરદાર માંગણી છે. આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે કાશ્મીરમાં આ આતંકવાદીઓને પોષવા માટે પૈસા ક્યાંથી આવે છે? તેમને કોણ ચૂકવે છે અને શું તેમની પાસે કોઈ પ્રકારનું નેટવર્ક અને અર્થતંત્ર છે?

આ આતંકવાદીનું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે?

- Advertisement -

હકીકતમાં, આ સમયે કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, ટીઆરએસ જેવા ઘણા પ્રકારના પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે. તેમને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું સંપૂર્ણ સમર્થન છે એટલું જ નહીં, આ આતંકવાદી સંગઠનો ડ્રગ્સની દાણચોરી જેવા ધંધામાં પણ સામેલ છે. તેઓ અફીણ, હેરોઈન, હશીશ અને અન્ય તમામ પ્રકારના ડ્રગ્સ સપ્લાય કરે છે અને તેમની પાસેથી મળેલા પૈસાથી તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે.

નકલી ચલણના ધંધામાં આ આતંકવાદી સંગઠનોની સંડોવણી પણ સામે આવી છે. પાકિસ્તાનમાં એવી ઘણી સંસ્થાઓ છે જે આ આતંકવાદીઓને ઉછેરવા માટે માત્ર સેવાભાવી સંસ્થાઓના નામે પૈસા એકઠા કરે છે પરંતુ કાશ્મીરના નિર્દોષ અને બેરોજગાર યુવાનોને ઉશ્કેરે છે અને તેમના મનમાં ભારત વિરુદ્ધ નફરત ભરી દે છે. તેઓ આ નિર્દોષ કાશ્મીરી યુવાનોને સરહદ પાર લઈ જાય છે અને તેમનું સંપૂર્ણ બ્રેઈનવોશ કર્યા પછી તેઓ તેમને આત્મઘાતી બોમ્બર બનાવીને ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે.

- Advertisement -

એટલું જ નહીં, આ આતંકવાદીઓના અર્થતંત્રમા આ એક અન્ય ધંધો પણ છે અને તે છે ખંડણી. પાકિસ્તાન સિવાય કેટલાક અન્ય દેશો પણ છે જે આ આતંકવાદીઓને સમર્થન આપે છે અને તેમને ફંડ આપે છે. હવાલા નેટવર્ક દ્વારા તેમને પૈસા મોકલવામાં આવે છે. જો કે એવું નથી કે ભારત સરકાર આ બધી બાબતોથી અજાણ છે.

સમય સમય પર, સરકાર તેમની આર્થિક કમર તોડવા માટે પગલાં લેતી રહે છે. આવી સ્થિતિમાં, આ સમયે વધુ કડક પગલાં લેવાની જરૂર છે જેથી કરીને આ આતંકવાદીઓની ગતિવિધિઓને સંપૂર્ણ રીતે રોકી શકાય. અન્યથા ભારતમાં આ રીતે નિર્દોષ લોકોનું લોહી વહેતું રહેશે.

Share This Article