Silver Jewellery Loan Guidelines: ચાંદી પર લોન લેવી છે તો જાણી લો બેંકના આ કડક નિયમો, ડિઝાઇન નહીં પણ શુદ્ધતાના આધારે નક્કી થશે તમારી લોનની રકમ

Arati Parmar
3 Min Read

Silver Jewellery Loan Guidelines: ફાઈનાન્શિયલ ઈમરજન્સી એક એવી વસ્તુ છે, જે ક્યારેય પણ ગમે તે સમયે આવી શકે છે. એવામાં આ માટે દરેક વ્યક્તિ તૈયાર રહી શકતો નથી. જેના પછી લોકો પાસે સૌથી પહેલો અને છેલ્લો વિકલ્પ બચે છે પોતાની પાસે રાખેલા ગોલ્ડ કે સિલ્વરને ગીરવે મૂકવું અથવા વેચવું. આવું કરવાનું જોકે કોઈ ઈચ્છતું નથી, પરંતુ જો કોઈ મુસીબત આવી પડી હોય અને આવું કરવું જ પડે તો તમારે તે પહેલા કેટલીક જરૂરી વાતો ચોક્કસ જાણી લેવી જોઈએ, જેથી તમારે આવનારા સમયમાં અથવા લોન લેતી વખતે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

ચાંદી ગીરવે મૂકવા પર કેટલા પૈસા મળશે?

જો કોઈ મુશ્કેલી આવવાના સમયે તમે ચાંદીને ગીરવે મૂકવા માંગો છો, તો તે પહેલા તમારા માટે એ જાણી લેવું જરૂરી છે કે તમને ચાંદી ગીરવે મૂકવા પર ૧૦૦% લોન નહીં મળે. ઉદાહરણ તરીકે જો તમે ૫૦ હજાર રૂપિયાની ચાંદી ગીરવે મૂકી છે, તો તેના પર તમને ૫૦ હજાર રૂપિયાની લોન નહીં મળે, પરંતુ કિંમતના ૭૫ થી ૮૫ ટકા સુધી લોન અમાઉન્ટ મળી શકે છે. આવું એટલા માટે કારણ કે બેંક અથવા લોન આપનારે બાકીની રકમ સુરક્ષા (Security) તરીકે પોતાની પાસે રાખવાની હોય છે.

- Advertisement -

આ વાતોનો રાખો ખ્યાલ

  • ચાંદીના દાગીના અને સિક્કા સરળતાથી ગીરવે મૂકી શકાય છે. કારણ કે તેમની શુદ્ધતા માપવી સરળ હોય છે અને તેની સાથે જ તેમની કિંમત પણ સારી મળે છે.

  • ચાંદીના વાસણો અને સુશોભનની વસ્તુઓનો ઘણીવાર બેંક સ્વીકાર કરતી નથી. તેમની વેલ્યુ ઘણી ઓછી આંકવામાં આવે છે, એવામાં આને ગીરવે મૂકવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો.

  • ચાંદી ગીરવે મૂકતા પહેલા એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા દાગીના કે વાસણો અથવા કોઈપણ સામાનમાં કોઈ કારીગરી કરવામાં આવી હશે, તો તેની કોઈ કિંમત નહીં હોય. બેંકને ડિઝાઇન કે મેકિંગ ચાર્જ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને માત્ર ચાંદીની શુદ્ધતા સાથે મતલબ હોય છે.

ક્વોલિટી વિરુદ્ધ ક્વોન્ટિટી

જો તમે વિચારી રહ્યા છો કે ચાંદીની વધારે ક્વોન્ટિટી (જથ્થો) ગીરવે મૂકવાથી તમને વધારે લોન મળી જશે, તો એવું બિલકુલ નથી. હકીકતમાં બેંક ચાંદીની ક્વોન્ટિટી કરતા વધારે ક્વોલિટી પર ફોકસ કરે છે. આ ઉપરાંત ચાંદીની કિંમત પ્રતિ ગ્રામના હિસાબથી હોય છે, તેથી મોટી રકમ લેવા માટે તમારે ઘણી વધારે માત્રામાં ચાંદી ગીરવે મૂકવી પડશે. આ સિવાય દરેક બેંકના પોતાના માપદંડ પણ હોય છે, તેઓ એક વ્યક્તિ પાસેથી કેટલી ચાંદી સ્વીકારશે તે તેમના પર જ નિર્ભર કરે છે.

Share This Article